- પ્રસુતિ બાદ મહિલા દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા ન કરવામાં આવતી હોવાના આક્ષેપો
- પ્રસુતિ દરમિયાન જવાબદાર ડોકટર પણ હાજર ન રહેતા હોવાના આક્ષેપો
ગીર ગઢડા સરકારી હોસ્પિટલ માં પ્રસુતિ બાદ મહિલા દર્દીઓને ટિફિનની વ્યવસ્થા આપવામાં ન આવતી હોવાના આક્ષેપો કરવામાં છે. તેમજ પ્રસુતિ દરમિયાન જવાબદાર ડોકટર પણ હાજર ન રહેતા હોય જેથી અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રસુતિ કરાવવામાં આવતી હોવાના દર્દીઓએ આક્ષેપો કર્યા છે. જેના કારણે મહિલાઓને ભારે હાલાકી પડતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તેવા પગલા લેવા માંગ કરાઈ છે.
સગર્ભા બહેનોની પ્રસુતિ દરમિયાન પણ ડોકટર હાજર ના હોઈ અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રસુતિ કરાવવામાં આવતી હોય કોઈ ગંભીર બનાવ બને તો જવાબદાર કોણ ?? તેવા પ્રશ્નો દર્દીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. આ બાબતે ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ના અધિકારી જોડે વાત કરવાનો પ્રયત્ન કરતા ત્યાંના અધિકારી પાર્થ સેતા એ આ બાબતે કોઈ પણ પ્રકાર નો પ્રત્યુતર આપવાનો ઇન્કાર કર્યો હતો
ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ બાદ મહિલા દર્દી ઓ ને ટિફિન ની વ્યવસ્થા પણ આપવામાં આવતી નથી તેમજ પ્રસુતિ દરમિયાન જવાબદાર ડોકટર પણ હાજર ન રહેતા હોય અને અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા સગર્ભા બહેનોની પ્રસુતિ કરાવતા હોવાની વિગતો ત્યાં પ્રસુતિ બાદ રોકાયેલા દર્દીઓ પાસેથી સામે આવતા જવાબદાર અધિકારીઓ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સાથે જ ઉપરોક્ત તમામ આક્ષેપો દર્દીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા.
થોડા દિવસ પહેલા એક સગર્ભા બહેન ની પ્રસ્તુતિ દરમિયાન જવાબદાર ડોકટર હાજર ના હોઈ અને અન્ય નર્સિંગ સ્ટાફ એ પ્રસ્તુતિ કરાવી હોવાનો બનાવ સામે આવ્યો હતો પરંતુ આજે ફરી વાર ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ચર્ચામાં આવી છે જેમાં ગીર ગઢડા સરકારી હોસ્પિટલ માં પ્રસુતિ દરમિયાન નિયમ મુજબ સરકારી હોસ્પિટલ તરફ થી જમવાની વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ ગીર ગઢડા સરકારી હોસ્પિટલ માં પ્રસુતિ બાદ મહિલા દર્દી ઓને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી જેથી દૂર છેવાડાના ગામડાઓ માંથી આવતા સગર્ભા બહેનો ને પ્રસુતિ બાદ મુશ્કેલી નો સામનો કરવો પડે છે અને દૂર છેવાડાના વિસ્તારો માંથી આવતા દર્દીઓ ને ઘરેથી ટિફિન મંગાવવા મજબૂર થવું પડે છે. તેમ આક્ષેપો સાથે દર્દીઓ ડાઆ જણાવવામાં આવ્યું હતું.
આ બાબતે ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ના અધિકારી સેતા પાર્થ જોડે વાત કરવાનો પ્રયત્ન કરતા તેને કોઈ પણ પ્રકાર નો પ્રતિઉતર આપવાની ના પાડી હતી અને પોતે પોતાની જવાબદારી માંથી છટકી રહ્યા હોઈ તેમ દરવાજો બંધ કરી અંદર જતા રહ્યા હતા અને દરવાજો અંદર થી બંધ કરી દિધો હતો. તેમજ દર્દી દ્વારા આક્ષેપો સાથે જણાવવામાં આવ્યું હતું.
અહેવાલ: મનુ કવાડ