- માછીમારો દ્રારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
- પોરબંદરના દરીયામા કેમીકલયુકત પાણી ઠલવવાનો પ્રોજેક્ટ રદ કરવા માંગ
- રાજ્યભરમાં આ પ્રોજેક્ટનો વિરોધ થઇ રહ્યો છે
- દરિયામાં પાણી છોડવાનો પ્રોજેક્ટ રદ કરવા માંગ કરાઇ
ગીર સોમનાથ: જેતપુરના ઉદ્યોગો દ્રારા કેમીકલયુકત પાણી પોરબંદરના દરીયામા ઠાલવવાનો પાઇપલાઇનનો પ્રોજેક્ટ સંદર્ભ ઠેરઠેર માછીમારો દ્રારા વિરોધ થઈ રહ્યો છે. જે સંદર્ભ વેરાવળમા પણ માછીમારો દ્રારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના કારણે પોરબંદર જ નહી પરંતુ સૌરાષ્ટ્ર ભરના દરીયાકિનાર ને આસર થવાના તેમજ માછલીનો નાશ થવાની ભીતિ સેવાઈ રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેને લઈને રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે વેરાવળ ખારવાસમાજ, હોડી એશોશીએશન, બોટ એશોશીએશન , ભીડીયા કોળીસમાજ, ભીડીયા ખારવાસમાજ સહીત હજારોની સંખ્યામા માછીમારો એકઠા થઈ રૈલી કાઢી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતુ અને પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરાઇ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, જેતપુરના ઉદ્યોગો દ્રારા કેમીકલયુકત પાણી પોરબંદરના દરીયામા ઠાલવવાનો પાઇપલાઇન નો પ્રોજેક્ટ સંદર્ભ ઠેરઠેર માછીમારો દ્રારા વિરોધ થઈ રહ્યો છે જે સંદર્ભ વેરાવળમા પણ માછીમારો દ્રારા આવેદનપત્ર અપાયુ. દરીયામા કેમીકલયુકત પાણી નાખવાથી માછલીનો નાશ થાય છે ત્યારે જેતપુરના ઉદ્યોગો નુ કેમીકલયુકત પાણી પાઇપલાઇન દ્રારા પોરબંદર ના દરીયામા ઠાલવવાનો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે જેની સામે પોરબંદર મા તાજેતરમા જ મળેલ મિટીંગ મા 1600 કિમી દરીયાકાઠા ના માછીમારો એકઠા થઈ આ પ્રોજેક્ટ નો વિરોધ કરી કલેક્ટર ને આવેદનપત્ર અપાયુ હતુ અને આ પ્રોજેક્ટ નો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે આજરોજ વેરાવળ ખારવાસમાજ, હોડી એશોશીએશન, બોટ એશોશીએશન , ભીડીયા કોળીસમાજ, ભીડીયા ખારવાસમાજ સહીત હજજારોની સંખ્યામા માછીમારો એકઠા થઈ રૈલી કાઢી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવેલ હતુ અને આ પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરાઇ છે .
વાત કરવામા આવે તો દરીયાઇ સંપત્તિ કેમીકલયુકત પાણી પડવાથી નાશ પામશે અને તેની અસર માત્ર પોરબંદર જ નહી પણ દ્વારકા, ઓખા , માંગરોળ , વેરાવળ , કોડીનાર , ઉના , દીવ સહીત સૌરાષ્ટ્ર ભરના દરીયા કિનારે પડશે અને માછલીનો જથ્થો નાશ પામશે .