- મહંત છબીરામ દાસજી મહારાજ બ્રહ્મ લીન થયા બાદ શરુ થયો વિવાદ
- વર્તમાન મહંત ટ્રસ્ટીઓને મંજૂર ન હોવાથી વિરોધ
વાંકાનેરનાં પૌરાણિક ધર્મ સ્થાન એવા રઘુનાથ મંદિરનાં મહંત પદ માટે વિવાદ ચાલી રહ્યો છે. લાલજી મહારાજનું ગુરૂ સ્થાન ગણાતા રઘુનાથ મંદિરનુ સૌરાષ્ટ્ર ભરમાં વિશેષ ધાર્મિક મહત્વ છે. ત્યારે પૂર્વ મહંત છબીરામ દાસજી મહારાજ બ્રહ્મ લીન થયા બાદ આ ધર્મ સ્થાન પર મહંત પદ માટે વિવાદ ચાલી રહ્યો છે. પૂર્વ મહંત છબી રામ દાસજી મહારાજ બ્રહ્મ લીન થયા બાદ, સૌરાષ્ટ્રભરનાં મહા મંડલેશ્વર સંતો મહંતો ની હાજરી વચ્ચે મહંત ભરત દાસજી મહારાજને ધાર્મિક વિધિ સભર રઘુનાથજી મંદિરનાં મહંત પદે નિયુક્ત કરવામાં આવ્યા હતાં, જોકે ટ્રસ્ટીઓને મંજૂર ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેને લઈને મહામંડલેશ્વર સંતો મહંતોની હાજરીમાં એક મિટિંગ યોજવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, વાંકાનેર નાં પૌરાણિક ધર્મ સ્થાન એવા શ્રી રઘુનાથજી મંદિર નાં મહંત પદ ની ખેંચતાણ માટે છેલ્લા ત્રણ ચાર માસ થી ચાલતો વિવાદ હવે બહાર આવ્યો છે, લાલજી મહારાજ નું ગુરૂ સ્થાન ગણાતા વાંકાનેરનાં રઘુનાથ મંદિરનું સૌરાષ્ટ્ર ભર માં વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે ત્યારે આ ધર્મ સ્થાનના મહંત પદ માટે વિવાદ થતાં મહા મંડલેશ્વર સંતો મહંતો માં પણ રોષ ઉઠવા પામ્યો છે, પૂર્વ મહંત છબીરામ દાસજી મહારાજ બ્રહ્મ લીન થયા બાદ આ ધર્મ સ્થાન પર મહંત પદ માટે નો વિખવાદ છેલ્લા ત્રણ ચાર માસ થી અંદર ખાને ચાલી રહ્યો છે, જે હવે બહાર આવ્યો છે, પૂર્વ મહંત છબી રામ દાસ મહારાજ બ્રહ્મ લીન થયા બાદ, સૌરાષ્ટ્રભર નાં મહા મંડલેશ્વર સંતો મહંતો ની હાજરી વચ્ચે હાલ નાં મહંત ભરત દાસ મહારાજ ને ધાર્મિક વિધિ સભર વાંકાનેર રઘુનાથ મંદિર નાં મહંત પદે નિયુક્ત કરવામાં આવ્યા હતાં,જોકે ટ્રસ્ટીઓ ને આ મહંત મંજૂર ન હોય વિરોધ કરવામાં આવી રહ્યો છે..ત્યારે હાલનાં વર્તમાન મહંત ભરતદાસ એ આ મુદ્દે મિડિયા સમક્ષ વિવાદને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો અને આવનાર દિવસો માં જ મહામંડલેશ્વર સંતો મહંતો ની હાજરી માં એક મિટિંગ યોજવામાં આવી છે અને ત્યાર બાદ જ યોગ્ય નિર્ણય આવશે તેમ જણાવ્યું હતું.
અહેવાલ: કેતન ભટ્ટી