- જીનપરા જેવા ભરચક્ક વિસ્તારમાં તસ્કરોનો તરખાટ
- 6 થી 7 બંધ મકાનોનાં તાળા તોડી ચોરી કરી તસ્કરો નાસી છૂટયા
- ચોરીનાં બનાવ બાદ પોલીસ દ્વારા હવે તપાસનો ધમધમાટ શરુ
વાંકાનેરમાં આવેલ જીનપરા વિસ્તારમાં ગુરુવારની રાતે તસ્કરોનો તરખાટ મચાવી દીધો હતો અને એક કે બે નહીં પરંતુ 7 જેટલા મકાનોના તાળા તોડવામાં આવેલ છે જો કે, તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવેલ છે જેથી કરીને જુદાજુદા મકાનમાંથી કેટલા મુદામાલની ચોરી કરવામાં આવેલ છે તેની કોઈ માહિતી સામે આવેલ નથી પરંતુ નાના મોટી રકમના મુદામાલની ચોરી કરવામાં આવી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે હાલ આ ચોરીના બનાવની સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસ સ્થળ ઉપર પહોચી છે અને આરોપી સુધી પહોચવા માટે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરેલ છે.
બનાવની પ્રાત વિગતો મુજબ શિયાળો શરૂ થતા જ વાંકાનેર વિસ્તારમાં રોજબરોજ ચોરીના બનાવો વધી રહ્યા છે, જે પોલીસ માટે પણ પડકારરૂપ બન્યા છે, આવા બનાવોમાં પોલીસની નાકામિયાબી છતી ન થાય અને ઢાંકપિછોડા કરવા પોલીસ પણ સાણી બની અને જે ચોરીના બનાવોમાં તસ્કરો પકડાય એમ હોય તે જ બનાવોની પોલીસ ફરિયાદ નોંધવામાં આવતી હોવાની ચર્ચાઓથી ગુંજી રહી છે, ત્યારે વધુ એક આંખે વળગે તેવી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં વાંકાનેર શહેરની મધ્યમાં જીનપરા વિસ્તારમાં ગતરાત્રિના તસ્કરોનો તરખાટ મચાવી એક સાથે છ થી સાત જેટલા બંધ મકાનોને નિશાન બનાવી મકાનોના તાળા તોડી કિંમતી સર સમાન તેમજ રોકડ રકમની ચોરી કરી નાસી જતાં ખળભળાટ મચી ગયો છે.
તેની કોઈ માહિતી સામે આવેલ નથી પરંતુ નાના મોટી રકમના મુદામાલની ચોરી કરવામાં આવી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે હાલ આ ચોરીના બનાવની સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસ સ્થળ ઉપર પહોચી છે અને આરોપી સુધી પહોચવા માટે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરેલ છે. હાલ આ ચોરીના બનાવોમાં સ્થાનિક આગેવાનો દ્વારા નિદ્રાધીન પોલીસ તંત્રને બનાવની જાણ કરતાં ઢાંકપિછોડો કરવા તાત્કાલિક પોલીસ ટીમો તપાસ માટે ઘટના સ્થળે દોડી ગઈ હોવાની માહિતી સામે આવી છે.