Abtak Media Google News

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સોનું ધોવાના બહાને બે શખ્સોએ એક આસામીને રૃા.ત્રીસેક હજારના દાગીનાનો ધૂમ્બો મારી દીધો છે. સપ્તાહ પહેલાના આ બનાવની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૩૩ પાસે આવેલા હુસેની ચોકમાં રહેતા આસિફભાઈ મજીદભાઈ દરજાદા ગઈ તા.રરની સવારે પોતાના ઘરે હતા ત્યારે સરદારજી જેવા લાગતા બે શખ્સો ત્યાં આવ્યા હતા.

આ શખ્સોએ આસિફભાઈને પોતે સોનું ધોવાનું કામ કરતા હોવાનું કહી વ્યાજબી ભાવમાં સોનું ધોઈ આપવાનું જણાવ્યું હતું.

આ શખ્સોની વાતોમાં આવી ગયેલા આસિફભાઈએ સોનું ધોવા માટે આપ્યું હતું તે પછી ગણતરીની મિનિટોમાં આ શખ્સો કામ પૂરૃં થયું છે તેમ કહી નીકળી ગયા હતા તેઓના રવાના થયા પછી આસિફભાઈએ ચકાસણી કરતા આ શખ્સો તેમની નજર ચૂકાવી ત્રણ વીંટી, નથડી, નાકની ચૂક મળી કુલ રૃા.ત્રીસેક હજારની કિંમતના દાગીના લઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતની આસિફભાઈએ શનિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.