Abtak Media Google News

પઠાણકોટથી ડેલહાઉસી જઇ રહેલી એક ખાનગી બસ આશરે 250 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા 12 મુસાફરોનો મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે જ્યારે આ દુર્ઘટનામાં 26 લોકો ઘાયલ થયા છે., આ દુર્ઘટના નૈનીખડ નજીક થઇ હતી.આમાંના કેટલાકની સ્થિત ગંભીર હોવાનું જાણવા મળે છ. એવું કહેવામાં આવ્યું છે કે બસમાં લગભગ 40 મુસાફરો હતા. ઘટનાની માહિતી મેળવ્યા પછી, નિવાસીઓએ પોલીસ અને સૈન્યની મદદથી બચાવ કામગીરી શરૂ કરી.

પોલીસના જણાવ્યા મુજબ બસમાં સવાર સાત લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ લોકોએ ડેલહાઉસી અને બનીખેતની હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.