ભારેથી અતિભારે વરસાદ થયો અને ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો. છેલ્લા બે દિવસમા 294 રૂટ બંધ થતા 1988 ટ્રીપ રદ કરવી પડી હતી. જેના કારણે બે દિવસમા એસટી નિગમને લાખો રૂપિયાનુ નુકસાન થયું હતું. જો કે પ્રવાસીઓની સલામતી માટે એસટી નિગમ દ્વારા રૂટ બંધ કરવામાં આવ્યા હતા.
જ્યાં વધારે પાણી હોય તેવા રૂટમાં બસ ન લઈ જવા માટે પણ એસટી બસના ડાઈવરને સુચના આપવામાં આવી હતી. ભારે વરસાદના કારણે અમદાવાદ, વડોદરા, રાજકોટ, વલસાડ, પાલનપુર સહિતના ડિવિઝનના રૂટ બંધ કરવાની ફરજ પડી હતી. જેના કારણે 10 ઓગસ્ટના 97 રૂટની 1383 ટ્રીપ રદ કરવામાં આવી હતી. તો 11 ઓગસ્ટના 191 રૂટની 605 ટ્રીપ રદ કરાઈ..
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક