Abtak Media Google News

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ 15 જાન્યુઆરી, 2022 થી આગળની સૂચના સુધી વાંકાનેર-મોરબી વચ્ચે દરરોજ 2 ડેમુ વિશેષ અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1) ટ્રેન નંબર 09562 મોરબી-વાંકાનેર ડેમુ સ્પેશિયલ (દૈનિક)

ટ્રેન નંબર 09562 મોરબી – વાંકાનેર સ્પેશિયલ મોરબીથી દરરોજ સવારે 06.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે સવારે 06.45 કલાકે વાંકાનેર પહોંચશે. આ ટ્રેન નજરબાગ, રફાળેશ્વર અને મકનસર સ્ટેશન પર ઉભી રહેશે.

2) ટ્રેન નંબર 09441 વાંકાનેર-મોરબી ડેમુ સ્પેશિયલ (દૈનિક)

ટ્રેન નંબર 09441 વાંકાનેર – મોરબી સ્પેશિયલ વાંકાનેરથી દરરોજ સવારે 07.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે સવારે 07.55 કલાકે મોરબી પહોંચશે. આ ટ્રેન મકનસર અને નજરબાગ સ્ટેશન પર ઉભી રહેશે.

ટ્રેનના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.