Abtak Media Google News

સુરત એરપોર્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે સુરત એરપોર્ટની ડીઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં રાંદેર ટાઉનની એક મિલકત જેવી ડિઝાઇન મંજુર કરાઈ છે. આ મંદિરની ૫૮% કામ પૂર્ણ થઇ ગયું છે.

સુરતનું આ આકર્ષક અને મનમોહક એરપોર્ટ 31મી ડિસેમ્બર 2022 સુધીમાં તૈયાર થઈ જશે સુરતના આ એરપોર્ટ માટે અંદાજે 200 વર્ષ જૂના રાંદેરના જૈન ટ્રસ્ટના મકાનના પહેલા માળની ડિઝાઇનને પસંદ કરાઈ છે.. એઆઇ રૂ. 353 કરોડના ખર્ચે સુરત એરપોર્ટના ડેવલોપમેન્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. 58%થી વધુકામ પૂર્ણ થઈ ગયું છે અને બિલ્ડિંગ 31મી ડિસેમ્બર 2022 સુધીમાં તૈયાર થઈ જશે.

Screenshot 4 3

એરપોર્ટમાં તૈયાર કરાશે વિશેષ ટર્મિનલ 

નવું ટર્મિનલ 25,520 ચો.મી.ના ક્ષેત્રમાં તૈયાર થશે, જે દર કલાકે 1200 ઘરેલું અને 600 આંતરરાષ્ટ્રીય મુસાફરોને સંચાલિત કરવામાં સક્ષમ હશે.

ટર્મિનલની વિશેષતા

આ ટર્મિનલમાં 20 ચેક-ઇન કાઉન્ટર્સ, 5 એરોબ્રિજ, 5 બેગેજ બેલ્ટ, 475 વાહનો અને કાર પાર્કિંગ હશે. સુરતમાં એક સાથે 23 વિમાનો પાર્કિંગ થઇ શકશે. એપ્રોનનું વિસ્તરણ અને પેરેલલ ટેક્સી ટ્રેકનું નિર્માણ થશે. એરોબ્રિજ 2થી વધીને 5 થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.