- 26મી જાન્યુઆરી – પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે ધ્વજ વંદન સમારોહ
- ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાબરકાંઠા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો-કલેકટરઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે
રાષ્ટ્રના 76માં પ્રજાસત્તાક પર્વ-૨૬મી જાન્યુઆરી-2025ની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે થશે. તા.26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરઓના અધ્યક્ષ સ્થાને વિવિધ જિલ્લા મથકોએ પણ ધ્વજ વંદન સમારોહ યોજાશે.
રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે:
કેબિનેટ મંત્રીઓ
1. કનુ દેસાઈ – વલસાડ
2. ઋષિકેશ પટેલ – બનાસકાંઠા
3. રાઘવજીભાઈ પટેલ – રાજકોટ
4. બળવંતસિંહ રાજપૂત – મહેસાણા
5. કુંવરજી બાવળિયા – બોટાદ
6. મુળુ બેરા – જામનગર
7. ડૉ. કુબેર ડીંડોર – ભાવનગર
8. ભાનુ બાબરિયા – અમદાવાદ
રાજ્ય કક્ષાના મંત્રીઓ
9. હર્ષ સંઘવી – ગાંધીનગર
10. જગદીશ વિશ્વકર્મા – ખેડા
11. પરશોત્તમ સોલંકી – ગીર સોમનાથ
12. બચુ ખાબડ – દાહોદ
13. મુકેશ પટેલ – નવસારી
14. પ્રફુલ પાનશેરીયા – સુરત
15. ભીખુસિંહજી પરમાર – છોટા ઉદેપુર
16. કુંવરજી હળપતિ – ભરૂચ
આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરશ્રીના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.