Abtak Media Google News

કચ્છના રાપરની ધરા ધણધણી

 

અબતક-રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે ત્યારે દરરોજના 3 થી 4 ભૂકંપો અનુભવાતા હોય છે. છેલ્લા 24 કલાકમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ચાર વખત આંચકાઓ આવ્યા છે. જેમાં સૌથી વધુ તીવ્રતાવાળા આંચકો ભચાઉમાં 3.4નો હતો. જ્યારે મહુવામાં 2.3ની તીવ્રતાના આંચકો આવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો હતો. સીસ્મોલોજી ડીપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઇકાલે સાંજે 7:03 વાગ્યે મહુવાથી 38 કિલોમીટર દૂર 2.3ની તીવ્રતાનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો.

જેની ઉંડાઇ જમીનથી 21.4 કિલોમીટરની હતી. ત્યારબાદ રાતે 9:33 વાગ્યે ભચાઉથી 11 કિલોમીટર દૂર 3.4ની તીવ્રતાનો આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ જમીનથી 20.1 કિલોમીટરની હતી. રાત્રે 10:23 કલાકે કચ્છના રાપરથી 37 કિલોમીટર દૂર 1.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ જમીનથી 21 કિલોમીટરની હતી. ત્યાર બાદ મોડી રાત્રે 2:26 કલાકે કચ્છના ભચાઉથી 17 કિલોમીટર દૂર 1.5ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ જમીનથી 30.6 કિલોમીટરની હતી.

વારંવાર આવતા ભુકંપના આંચકાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. જો કે, છેલ્લા 24 કલાકમાં આવેલા ચારેય ભૂકંપના આંચકાની તીવ્રતા 4 થી ઓછી હોય વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ લોકોએ ગભરાવવાની જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.