મોરબી ઝુલતા પુલની દુર્ઘટનામાં 141, વડોદરા હરણીકાંડમાં 12, રાજકોટ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનામાં 27 નિર્દોષ મોતના મુખમાં ધકેલાયા બાદ હવે મુંબઈના દરિયામાં ફેરી બોટ સાથે સર્જાયેલી દુર્ઘટનામાં 13 લોકો કાળનો કોળિયો બની ગયાં છે. આ તમામ ઘટનાઓ જયારે બને ત્યારે સર્વત્ર હાહાકાર મચી જતો હોય છે, દોષના ટોપલા એકબીજા માથે ઢોળવામાં આવતા હોય છે, આરોપ – પ્રતિઆરોપનો સીલસીલો ચાલે છે, સરકાર તપાસના આદેશ આપે છે, ગુનો દાખલ કરી એસઆઈટીની રચના કરવામાં આવે છે અને ત્યારબાદ અમુક શખ્સોને જેલ હવાલે કરી મામલો કોર્ટ હવાલે કરી દેવામાં આવે છે અને પ્રજામાંથી પણ મૃતકોની મરણચિસોનો આક્રોશ ધીમેધીમે ગાયબ થઇ જતો હોય છે. હવે આવી દુર્ઘટનાઓ જયારે અવાર નવાર બને છે ત્યારે ભારતમાં જ્યાં સુધી આખેઆખી સિસ્ટમ નહિ સુધરે ત્યાં સુધી આવા હાદશા બનતા જ રહેશે અને આપણી પાસે બોલવા માટે એક જ શબ્દ બચશે ’ૐ શાંતિ’. જો આવી દુર્ઘટનાને રોકવી હોય તો આખેઆખી સિસ્ટમ સુધારવી હોય તો શરૂઆત પ્રજાએ કરવી પડશે.
મુંબઈમાં નેવીની સ્પીડ બોટ અને પેસેન્જર બોટની ટક્કરમાં 13 લોકોના મૃત્યુ નિપજ્યા છે. નેવીની સ્પીડ બોટ એલિફન્ટા તરફ જઈ રહેલી નીલકંઠ નામની ફેરીને ટક્કર મારી હતી. આ ઘટનામાં 115 લોકોને બચાવી લેવાયા છે જ્યારે બે લાપતા છે અને બે લોકોની હાલત નાજુક છે.ઘટનાના અત્યંત ઉલ્લેખનીય બાબત છે કે, બોટમાં સવાર 125 જેટલાં મુસાફરો પૈકી કોઈએ લાઈફ જેકેટ પહેર્યા જ ન હતા જેના લીધે 13 મુસાફરો મોતના મુખમાં ધકેલાઈ ગયાં હતા. કહી શકાય કે, જો મુસાફરોએ લાઈફ જેકેટ પહેર્યા હોત તો 13 પરિવારોમાં આજે માતમનો માહોલ સર્જાયો ન હોત.
અહેવાલો અનુસાર, આ દુર્ઘટના બુધવારે (18મી ડિસેમ્બર) બપોરે 4 વાગ્યાની આસપાસ બની હતી. આ અથડામણમાં નેવીની સ્પીડ બોટમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના પણ મૃત્યુ થયા હતા. બચાવ કામગીરી દરમિયાન નેવી અને સ્થાનિક ટીમોએ મળીને મુસાફરોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઉત્તર પ્રદેશના ગૌતમ ગુપ્તાએ આપવીતી જણાવતા કહ્યું કે, ’હું મારા પરિવાર સાથે એલિફન્ટાની મુલાકાત લેવા જઈ રહ્યો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં મારી કાકીનું મૃત્યુ થયું હતું. બોટમાં કોઈની પાસે લાઈફ જેકેટ નહોતું. અકસ્માત બાદ અમે ઘણાં લોકોને પાણીમાંથી બહાર કાઢીને બોટ તરફ ખેંચ્યા હતા. લગભગ 20થી 25 મિનિટ પછી નેવીએ અમને બચાવ્યા હતા.’
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. પોલીસે આ મામલે નેવી સ્પીડ બોટ ડ્રાઈવર અને અન્ય જવાબદાર લોકો સામે કેસ નોંધ્યો છે અને ભારતીય ન્યાયની કલમ 106(1), 125(ફ)(બ), 282, 324(3)(5) હેઠળ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ રિવરફ્રન્ટ પ્રવાસન સ્થળ કે સ્યુસાઇડ પોઇન્ટ?: 12 વર્ષમાં 1869 લોકોની મોતની છલાંગ
અમદાવાદની સાબરમતી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો જે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર છેલ્લા 12 વર્ષમાં રિવરફ્રન્ટ ખાતેથી નદીમાં કૂદીને 1869 લોકોના મૃત્યુ થયા છે. સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ થયા પછી પણ વોક વે પરથી અનેક લોકો કૂદીને આત્મહત્યા કરતા હોય છે. શહેર કોંગ્રેસના લઘુમતી સેલના કાર્યકારી પ્રમુખ અને એડવોકેટ અતિક સૈયદે કરેલી આરટીઆઈમાંથી માહિતી બહાર આવી છે કે, સાબરમતી નદીમાં કૂદીને ડૂબી આત્મહત્યા કરવાથી
247 મહિલાઓ 1586 પુરુષો 36 બાળકો મળી કુલ 1869 લોકોના મૃત્યુ થયા છે. 466 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફાયર સ્ટેશન ન હોવાથી આત્મહત્યા કરનાર લોકોને ઝડપી બચાવી શકાતા નથી.
બોટને ટક્કર લાગતા મુસાફર હવામાં ઉછળી અન્ય બોટના ડેક સાથે અથડાયો: મોત
મુંબઈ બોટ દુર્ઘટના પૂર્વે ફેરી બોટનો વિડીયો રેકર્ડ કરી રહેલા ગૌતમ ગુપ્તાએ ઘટના અંગે જણાવ્યું હતું કે, હું ફેરી બોટનો વિડીયો રેકોર્ડ કરી રહ્યો હતો. મને લાગ્યું કે, ફેરી બોટમાં સવાર લોકો સ્ટન્ટ કરી રહ્યા છે. દરમિયાન એક વ્યક્તિ અચાનક સ્પીડબોટમાંથી ઉછળી અમારી બાજુમાં ચાલતી ફેરી બોટના ડેક પર પડ્યો હતો અને તેના શરીરના ટુકડા થઇ જવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જે બાદ મને ખુબ મોટો આઘાત લાગ્યો હતો. વિડીયો રેકર્ડ કરનાર ગૌતમ ગુપ્તા હાલમાં સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં તેમના પિતરાઈ
ભાઈ રિંતા ગુપ્તા (30) સાથે સારવાર લઈ રહ્યા છે જ્યારે તેમની કાકી હજુ પણ ગુમ છે. બુધવારે જ્યારે દુર્ઘટના બની ત્યારે તેઓ તેમની કાકી અને તેમની પુત્રી સાથે એલિફન્ટા ગુફાઓ જઈ રહ્યા હતા.
મુંબઈમાં ગેટવે ઑફ ઈન્ડિયા પાસે મોટી બોટ દુર્ઘટનામાં 13નામોત
3 dead, 5 missing in major boat accident near Gateway of India in Mumbai
Previous ArticleLookback 2024 Sports: ક્રિકેટની ટોપ 5 અવિસ્મરણીય ક્ષણો
Next Article Jeep અને Citron પણ તેની નવી કાર પર કરી રહી છે વધારો…