Abtak Media Google News

પૂર્વપ્રેમીના ત્રાસથી પગલું ભર્યાનું પ્રાથમિક તારણ: પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી

ટીવી શોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરએ ઈન્દોરના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. પોલીસે વૈશાલીની મોતનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું જણાઇ રહ્યું છે. હાલ વૈશાલીની બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે અને આગળ તપાસ હાથ ધરાઈ છે. તારીખ 15 જુલાઈના દિવસે જન્મેલી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરની ઉંમર 30 વર્ષની હોવાનું જાણવા મળે છે. તેણે ટીવી શો ’યે રિશ્તા ક્યા કહલાતા હે’થી ડેબ્યુ કર્યું હતું. જેમાં તેણે સંજનાનું પાત્ર ભજવ્યું હતું. ત્યાર બાદ વૈશાલી યે વાદા રહા, યે હે આશિકી, સસુરાલ સિમર કા, સુપર સિસ્ટર્સ, વિષ યા અમૃત સિતારા, મનમોહિની 2, રક્ષાબંધન સહિતના ટીવી શોમાં કામ કર્યું હતું.

એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી ત્યારે સુસાઇડ નોટ પણ લખી હતી. હવે વૈશાલી ઠક્કરની સુસાઇડ નોટ અંગેની જાણકારી સામે આવી છે. રિપોર્ટ મુજબ, વૈશાલી ઠક્કર છેલ્લાં ઘણાં સમયથી તણાવમાં હતી. તેણે પોતાની સુસાઇડ નોટમાં છેલ્લાં ઘણાં સમયથી તણાવમાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. સુસાઈડ નોટમાં વૈશાલી ઠક્કરે એવું પણ જણાવ્યું છે કે તેને એક્સ બોયફ્રેન્ડ પરેશાન કરતો હતો.

એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના પિતાનું નામ એચબી ઠક્કર, માતાનું નામ અન્નુ ઠક્કર અને ભાઈનું નામ નીરજ ઠક્કર છે. તારીખ 38 એપ્રિલ, 2021માં વૈશાલીએ જણાવ્યું હતું કે તેની સગાઈ થઈ ગઈ છે. તેના મંગેતરનું નામ ડો અભિનંદન સિંહ જણાવ્યું હતું. સગાઈના ફંક્શનમાં માત્ર પરિવારના સભ્યો સામેલ થયા હતા. અભિનંદનની વાત કરીએ તો તે કેન્યાનો રહેવાસી છે અને ડેન્ટલ સર્જન છે. વૈશાલી ઠક્કરે સગાઈના 1 મહિના પછી બધાને જણાવ્યું કે આ ડોક્ટર સાથે તે લગ્ન નહીં કરે. તેણે સોશિયલ મીડિયા પરથી સગાઈના ફંક્શનનો વિડીયો પણ હટાવી દીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.