માત્ર ૫૦૦ મીટર રોડ પરથી મળેલી ૪૦ બોટલોએ કાયદાની કથળેલી પરિસ્થિતિની વાસ્તવિકતા રજૂ કરી
મોરબી : શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પ અંતર્ગત પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા આજ રોજ સામાકાંઠે આવેલા વિદ્યુત સ્મશાનથી ઉમા ટાઉનશીપ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન દારૂની ૪૦ ખાલી બોટલ મળી આવતા શહેરમાં કાયદાની સાચી પરિસ્થિતિ સામે આવી હતી.
મોરબીનું પંચમુખી હનુમાન ગ્રુપ શહેરને સ્વચ્છ બનાવવા માટે સક્રિય કામગીરી કરી રહ્યું છે. પંચમુખી હનુમાન ગ્રૂપના સભ્યોએ આજે સામાકાંઠે આવેલા વિદ્યુત સ્મશાન થી લઈને ઉમા ટાઉનશીપ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. સ્વચ્છતા અભિયાન દરમિયાન વિદ્યુત સ્મશાનથી ઉમા ટાઉનશીપ સુધીના માત્ર ૫૦૦ મીટર જેટલા રોડ પરથી દારૂની ૪૦ ખાલી બોટલો મળી આવી હતી.
સ્વચ્છતા અભિયાન મળી આવેલી દારૂની ૪૦ ખાલી બોટલો શહેરમાં હાલ કાયદાની શુ પરિસ્થિતિ છે તેની વાસ્તવિકતા રજૂ કરી રહી છે. દારૂની ૪૦ બોટલો શહેરમાં દારૂબંધીની કડક અમલવારી કરવામાં તંત્ર નિષફળ ગયું હોવાની પ્રતિતિ કરાવે છે.
Trending
- Xiaomiએ સ્માર્ટર લિવિંગ એન્ડ મોર ઇવેન્ટન 2024માં કર્યા પોતાના 4 નવા ઉપકરણો લોન્ચ…
- મે મહિનામાં હનીમૂનનો પ્લાન કરી રહ્યા છો તો ભૂલથી પણ આ જગ્યાની મુલાકાત ન લેતા
- નાનુ એવું ‘મચ્છર’ વર્ષે સાત લાખ લોકોને ભરખી જાય છે
- લક્ષ્ય સિદ્ધ થાય તો જ જીવન ‘અર્થપૂર્ણ’ બને છે
- ઇન્ડિગોએ મુસાફરોની સુવિધામાં કર્યો વધારો….1 મે થી વિશેષ સેવાનો પ્રારંભ થશે
- Samsung મ્યુઝિક ફ્રેમ યાદો અને સંગીત નું અનેરું સંગમ…
- ટૂંક સમયમાં Elon Musk આપશે YouTubeને જોરદાર ટક્કર
- બાલાસિનોરના ગામડાઓમાં ભાજપ નેતાઓને પ્રવેશબંધી ફરમાવાઈ