Abtak Media Google News

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી  અમિતભાઈ શાહ ના હસ્તે ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું લોકાર્પન

૧૭૦ કરોડના ખર્ચે  નવનિર્મિત  2.36 કી. મીટર લાંબો આ  એલિવેટેડ કોરિડોર વાહન વ્યવહારમાં  વધુ સુવિધાયુક્ત બનશે.અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ અને જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે*

ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને ઝડપી અને સરળ પરીવહનની સુવિધા ઉપલબ્ધ થશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી  અમિતભાઈ શાહે ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી ફ્લાયઓવર સુધીના એલિવેટેડ કોરિડોરનું  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની  ઉપસ્થિતિ માં લોકાર્પણ કર્યું હતું.

આ અવસરે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી તેમજ રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્મા,મેયર કિરીટ પરમાર,અમદાવાદ શહેર અને ગાંધીનગર ના ધારાસભ્યો,પૂર્વ મંત્રી  પ્રદીપસિંહ જાડેજા, સાંસદઓ , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ,અમદાવાદ શહેર પ્રમુખ અમિતભાઈ શાહ,પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ અને માર્ગ મકાન સચિવ તેમજ વિભાગ ના અધિકારીઓ અને નાગરિકો  ઉપસ્થિત રહ્યા હતા.

રૂ. ૧૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા 2.36  કિલોમીટર લાંબો આ એલીવેટેડ કોરીડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે.

કેન્દ્રીય મંત્રી  અમિતભાઈ શાહના સંસદીય મતક્ષેત્રમાં આવતા એસ.જી. હાઇવે પર નિર્મિત આ એલિવેટેડ કોરીડોરથી સોલા ભાગવત, કારગીલ પેટ્રોલ પંપ, જનતા નગર અને ઝાયડસ એમ મહત્વના ચાર રોડ જંકશનને સીધો લાભ થશે.

થલતેજ અન્ડરપાસથી સોલા રેલ્વે પુલ સુધી ૧.૪૮ કી.મી. લાંબો ફ્લાયઓવર તા.   ૨૭ જૂન થી કાર્યરત છે, હવે તૈયાર થયેલા ૨.૩૬૦ કિમી લંબાઇના ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સીટી બોક્સ સુધીના એલિવેટેડ કોરીડોરને પરીણામે સળંગ ૪.૧૮ કીમી લંબાઇનો ફ્લાયઓવર કાર્યરત થશે.

આ ફ્લાય ઓવર કાર્યરત થવાથી ગુજરાત હાઇકોર્ટ અને સોલા-સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાને આ એલિવેટેડ કોરીડોરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૪૭ પર સરળ અને ઝડપી પરીવહનની સુવિધા  મળશે

અત્રે ઉલ્લેખનીય છે કે, સરખેજ-ગાંધીનગર-ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-૧૪૭ના ૪૪ કીમી લાંબા રસ્તાની બંને બાજુ સર્વિસ રોડ સાથેના છ-માર્ગીકરણની કામગીરી રૂ. ૯૧૩ કરોડના ખર્ચે પૂર્ણ કરવાનું  રાજ્ય સરકારનું આયોજન છે.

જે અંતર્ગત નિર્માણ કરવાના થતા ૧૩ ફ્લાયઓવરમાંથી ૭ ફ્લાય ઓવર કાર્યરત થઇ ચુક્યા છે અને આઠમાં ફ્લાયઓવરનું આજે લોકાર્પણ થયું છે અને બાકીના 5 ફ્લાય ઓવર નિર્માણાધિન છે.

કુંડળધામમાં 36 ફૂટ ઉંચી ભક્તેશ્વર મહાદેવની મૂર્તિનું સ્થાપન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

બરવાળા તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થ કુંડળધામમાં યોજાઈ રહેલ શ્રીસ્વામિનારાયણ સત્સંગ શિબિર – 30મીના ઉદ્ઘાટન પ્રસંગે આજે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ કુંડળધામે દર્શને પધાર્યા હતા. માનવ જીવનના અનોખા ઘડતર માટે શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામ દ્વારા પ્રતિવર્ષ શિબિરનું આયોજન કરવામાં આવે છે તે પરંપરા મુજબ આ વર્ષે પણ તા.2 નવેમ્બર થી 9 નવેમ્બર 2021 સુધી ભવ્ય 30મી શિબિરનું આયોજન કર્યું છે.

કુંડળધામ ખાતે યોજાનારી આ 30મી શિબિરમાં હજારો હરિભક્તો લાભ લઇ શકે તે માટે વિશિષ્ટ તૈયારીઓ કરી આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભગવાન શ્રીસ્વામિનારાયણની વિચરણ ભૂમિ કુંડળધામમાં આ ઉદ્ઘાટન પ્રસંગે સામાજીક સંસ્થાઓને સન્માન સાથે દાન અપાશે તેમજ સમાજના વિશિષ્ટ વ્યક્તિઓને પણ સન્માન સાથે પુરસ્કાર અપાશે.તથા 36 ફૂટ ઊંચી ભક્તેશ્વર મહાદેવજીની મૂર્તિનું ગૃહમંત્રી અમિત શાહ તથા પરમ પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે સ્થાપન કરાયુ હતું.કુંડળધામ ખાતે અવનવા અનેક વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.