Abtak Media Google News

દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ-રાજકોટ દ્વારા શહેરના તેજસ્વી ૫૫૧ વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને શિલ્ડ અને મીઠાઈ આપી સન્માનીત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગોસ્વામી જાગૃતિ મંડળના પ્રભારી પ્રફુલગીરી ટી. ગોસ્વામી, પ્રમુખ જયોતીષગીરી રામગીરી, ઉપપ્રમુખ દિપકગીરી બાબુગીરી, મંત્રી વિજયગીરી અમૃતગીરી, ખજાનચી પ્રવિણપુરી જવેરપુરી, તથા સભ્યો પ્રમોદપુરી પ્રવિણપુરી ભારતી, કિશોરપરી, રાજેષગીરી એસ.એસ. અશ્ર્વીનગીરી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પુરસ્કાર ગાયક કલાકાર જયદેવ ગોસ્વામીએ લોકોનું મન મોહી લીધું હતુ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.