Abtak Media Google News

બેટરીમાં અત્યંત ઉપયોગી એવા ઘટકનો મોટો જથ્થો ભારતની આત્મનિર્ભરતા વધારી દેશે, ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રે વિશાળ તક સર્જાશે

ગુજરાત સહિતના 11 રાજ્યોમાંથી પણ 51 ખનીજ બ્લોક્સ મળ્યા

જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર સરકારને લિથિયમ અને સોનાના ભંડાર મળ્યા છે.  ખાણ મંત્રાલયને રિયાસી જિલ્લાના સલાલ-હૈમાના વિસ્તારમાં લગભગ 59 લાખ ટન લિથિયમનો ભંડાર મળ્યો છે.  લીથેનિયમ એ બેટરીમાં અત્યંત ઉપયોગી ઘટક છે. જેનો મોટો જથ્થો ભારતની આત્મનિર્ભરતા વધારી દેશે. અને  ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રે વિશાળ તક સર્જાશે.

ગુરુવારે યોજાયેલી 62મી સેન્ટ્રલ જિયોલોજિકલ પ્રોગ્રામિંગ બોર્ડની બેઠક દરમિયાન 15 અન્ય સંસાધન ભૂસ્તરશાસ્ત્રીય અહેવાલો અને 35 ભૂસ્તરશાસ્ત્રીય મેમોરેન્ડા સાથેનો અહેવાલ સંબંધિત રાજ્ય સરકારોને સુપરત કરવામાં આવ્યો હતો. આ 51 ખનિજ બ્લોક્સમાંથી, પાંચ બ્લોક સોનાથી સંબંધિત છે અને અન્ય બ્લોક્સ પોટાશ, મોલિબડેનમ, બેઝ મેટલ્સ વગેરે જેવી કોમોડિટીને સંબંધિત છે, જે જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, 11 રાજ્યોમાં સ્થિત છે. મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગાણામાં ફેલાયેલ છે.  આ બ્લોક્સ 2018-19 થી ફિલ્ડ સિઝનમાં જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા  દ્વારા કરવામાં આવેલા કામના આધારે તૈયાર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, કોલસા મંત્રાલયને કુલ 7,897 મિલિયન ટનના સંસાધન સાથે કોલસા અને લિગ્નાઈટના 17 અહેવાલો પણ સબમિટ કરવામાં આવ્યા હતા.  વિવિધ વિષયો અને હસ્તક્ષેપના ક્ષેત્રો કે જેમાં જીએસાઈ કાર્ય કરે છે તેના પર મીટિંગ દરમિયાન સાત પ્રકાશનો પણ બહાર પાડવામાં આવ્યા હતા.

બેઠક દરમિયાન આગામી ફિલ્ડ સીઝન 2023-24 માટેનો પ્રસ્તાવિત વાર્ષિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો અને તેની ચર્ચા કરવામાં આવી હતી.  2023-24 દરમિયાન,જીએસઆઈ 12 દરિયાઈ ખનિજ સંશોધન પ્રોજેક્ટ સહિત 318 ખનિજ સંશોધન પ્રોજેક્ટ્સ સહિત 966 કાર્યક્રમો હાથ ધરવાની યોજના ધરાવે છે.  વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને ખાતર ખનિજોના સંશોધન પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.

સીજીપીબીએ જીએસઆઈનું એક મહત્વપૂર્ણ ફોરમ છે, જેમાં જીએસઆઈ નો વાર્ષિક ફિલ્ડ વેધર પ્રોગ્રામ સિનર્જી માટે ચર્ચા કરવા અને કામના ડુપ્લિકેશનને ટાળવા માટે મૂકવામાં આવે છે. સીજીપીબી ના સભ્યો અને અન્ય હિતધારકો જેમ કે રાજ્ય સરકારો, કેન્દ્ર અને રાજ્ય સરકારની ખનિજ સંશોધન એજન્સીઓ, જીએસઆઈ સાથે સહયોગી કાર્ય માટે તેમની વિનંતીઓ કરે છે.  જીએસઆઈ ના વાર્ષિક કાર્યક્રમને કેન્દ્ર દ્વારા નિર્ધારિત પ્રાથમિકતાઓ અને સભ્યો અને હિતધારકો દ્વારા રજૂ કરાયેલ દરખાસ્તોના મહત્વ અને તાકીદના આધારે અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે.

ભારત લિથિયમ માટે અન્ય દેશો પર નિર્ભર

વાસ્તવમાં લિથિયમ એ એવી ‘નોન-ફેરસ’ ધાતુ છે જે કોઈપણ બેટરીના મહત્વના ઘટકોમાંનું એક છે. અગાઉ, ખાણ મંત્રાલયે કહ્યું હતું કે, સરકાર ઉભરતી તકનીકો માટે મહત્વપૂર્ણ ખનિજ પુરવઠા શૃંખલાને મજબૂત કરવા ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિનામાંથી લિથિયમ સહિતના ખનિજોને સુરક્ષિત કરવા માટે સક્રિય પગલાં લઈ રહી છે. હાલમાં, ભારત લિથિયમ, નિકલ અને કોબાલ્ટ જેવા અનેક ખનિજો માટે આયાત પર નિર્ભર છે.

ફોનથી લઈ સોલાર પેનલ સુધી લિથિયમની જરૂર

સેન્ટ્રલ જિયોલોજિકલ પ્રોગ્રામિંગ બોર્ડની 62મી બેઠકમાં ખાણ સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું હતું કે, મહત્વપૂર્ણ ખનિજો દરેક જગ્યાએ જરૂરી છે, પછી તે મોબાઈલ ફોન હોય કે સોલાર પેનલ. તેમણે કહ્યું કે આત્મનિર્ભર બનવા માટે દેશ માટે મહત્વપૂર્ણ ખનિજોની શોધ અને પ્રક્રિયા કરવી ખૂબ જ જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે જો સોનાની આયાતમાં ઘટાડો થશે, તો આપણે આત્મનિર્ભર બનીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.