Abtak Media Google News

કોર્પોરેશનને રૂ.11 લાખથી વધુની માતબર આવક

મેઘરાજાએ સાતમ-આઠમના તહેવારમાં બ્રેક લેતા રાજકોટવાસીઓએ મન ભરીને તહેવારની ઉજવણી કરી હતી. સાતમ-આઠમના તહેવારમાં 1.20 લાખથી પણ વધુ લોકો બીઆરટીએસ અને સિટી બસમાં ફર્યાં હતા. જેના થકી કોર્પોરેશનને 11 લાખની માતબર આવક થવા પામી છે.

18મી ઓગસ્ટના રોજ 19,760 લોકો બીઆરટીએસમાં અને 19,878 લોકો સિટી બસમાં ફર્યા હતા. જ્યારે 19મીના રોજ 17,603 લોકો અને બીઆરટીએસમાં અને 18,761 લોકો સિટી બસમાં ફર્યાં હતા. જ્યારે 20મી ઓગસ્ટના રોજ 21,983 લોકોએ બીઆરટીએસની મોજ માણી હતી અને 23,399 લોકોએ સિટી બસમાં મુસાફરી કરી હતી.

કુલ 59,346 લોકો બીઆરટીએસ ઘૂમતા કોર્પોરેશનને રૂ.4.55 લાખ અને 62038 લોકોએ સિટી બસમાં ફરતા રૂ.5.92 લાખની આવક થવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.