Abtak Media Google News

રાજકોટ ડીવીઝનમાંથી ઉપડતી ૬ ટ્રેનો ૧૭ ડિસેમ્બરથી વડોદરા સ્ટેશન ઉભી રહેવાને બદલે છાયાપુરી સેટેલાઈટ સ્ટેશને ઉભી રહેશે. વડોદરા સ્ટેશન પર ટ્રાફીક વધુ હોવાથી રેલવે તંત્રએ આ નિર્ણય લીધો છે.

રાજકોટ ડીવીઝનની જે ૬ ટ્રેનો વડોદરામાં ઉભી નહી રહે તે ટ્રેનોમાં ટ્રેન નં. ૧૧૪૬૩/૬૪ સોમનાથ જબલપૂર એકસપ્રેસ (વાયા ઈટારસી) ટ્રેન નં. ૧૧૪૬૫/૬૬ સોમનાથ-જબલપૂર એકસપ્રેસ (વાયા બિના), ટ્રેન નં. ૧૯૬૫૭૫/૭૬ ઓખા, નાથદ્વારા એકસપ્રેસ ટ્રેન નં. ૧૨૪૭૭/૭૮ જામનગર શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા એકસપ્રેસ ટ્રેન નં. ૧૨૪૭૫/૭૬ હાપા શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા એકસપ્રેસ, ટ્રેન નં. ૧૫૦૪૬/૪૬ ઓખા ગોરખપૂર એકસપ્રેસ ટ્રેન હવે વડોદરાને બદલે છાયાપુરી સેટેલાઈટ સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવશે અને ત્યાંથીતે અમદાવાદ તરફ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.