- અબતકની શુભેચ્છા મુલાકાતમાં ફિઝીશીયન એસો. દ્વારા શની-રવિ બે દિવસ કોન્ફરન્સની આપી માહિતી
એસોસીએશન ઓફ ફિઝીશીયન ઓફ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના ફિઝીશીયનો માટે આગામી તા. 19-20 (શનિ-રવિ) એપ્રિલ એમ બે દિવસ માટે અગત્યની કોન્ફરન્સ એ પી આર. કોન-2025નું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશભરના વિવિધ રોગના નિષ્ણાત તબીબો દ્વારા મેડિકલ ક્ષેત્રે થયેલ અદ્યતન સારવાર પધ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવશે કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર-કચ્છના છસોથી વધુ ફિઝીશીયન ભાગ લેશે .
રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને આપણે ત્યાં મેડિકલ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે રાજકોટમાં મોટા ભાગના રોગ માટે વિશ્વ કક્ષાની સારવાર અને નિષ્ણાત તબીબોની સેવા ઉપલબ્ધ છે ત્યારે અમારા એસોસીએશન દ્વારા તબીબો અને સમાજ પ્રત્યેની અમારી ફરજ સમજી અમુક વરસોથી સૌરાષ્ટ્ર-કચ્છના ફિઝીશીયનોની કોન્ફરન્સ રાજકોટમાં રાખવામાં આવે છે. આગામી તા 19 અને 20 એપ્રિલ 202પ એમ બે દિવસ માટે રીઝન્સી લગુન હોટલ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના ફિઝીશીયનોની કોન્ફરન્સ એ પી આર કોન-2025નું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 600 થી વધુ ફિઝીશીયન ભાગ લેશે કોન્ફરન્સમાં દેશભરમાંથી વિવિધ રોગના નિષ્ણાત એવા 39 જેટલાં તબીબી ખાસ પધારશે અને જે તે રોગના નિદાન અને સારવાર ક્ષેત્રે થયેલ અદ્યતન શોધ વિશે માર્ગદર્શન આપશે આ રીતે કોન્ફરન્સનું આયોજન કરવાનો અમારો હેતુ એ છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના તબીબો મેડિકલ સાયન્સ ક્ષેત્રે વિશ્વભરમાં થતી વિવિધ શોધ વિશે માહિતગાર બને, એક બીજા સાથે પોતાના જ્ઞાનની આપલે કરે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે જેથી આપણા સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓને પણ વિશ્વકક્ષાની સારવાર સારી રીતે ઉપલબ્ધ બની શકે.
આ કોન્ફરન્સમાં કાર્ડિયોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ન્યુરોલોજી, નેકોલોજી, મેટોલોજી, ઈન્ફેક્શનને લગતા રોગ, એન્ડ્રોકાઈનોલોજી, પલ્મેનોલોજી, ઓન્કો-હેમેટોલોજી વગેરે ક્ષેત્રના દેશભરના જાણીતા તબીબો ખાસ પધારશે અને જે તે ફિલ્ડમાં વર્તમાન સમયમાં થયેલ અદ્યતન નિદાન-સારવારની પધ્ધતિ વિશે માર્ગદર્શન આપશે. કોન્ફરન્સમાં એઈમ્સ નવી દિલ્હી, મુંબઈ, પુના, હૈદ્રાબાદ, બેંગ્લોર, કોઈમ્બતુરના જે તે રોગના આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત 39 જેટલા તબીબો દ્વારા સૌરાષ્ટ્રના તબીબોને માહિતી આપવામાં આવશે કોન્ફરન્સમાં લાઈફ સ્ટાઇલ ડિસીસની સાથે જીનેટીક રોગ, સંપૂર્ણ હેલ્થ ચેકઅપ વખતે કરવામાં આવતા વિવિષ રીપોર્ટ દ્વારા યોગ્ય નિદાન કેન્સર વગેરે બિમારીમાં ટારગેટ આધારીત અદ્યતન સારવાર પધ્ધતિ, મેદસ્વીતાથી છૂટકારો મળે એ માટે મેડિકલ ક્ષેત્રે થયેલ આધુનીક દવાઓની શોષ, ચીતામુક્ત રહી તંદુરસ્ત જીવન જીવી શકાય એ પ્રકારની જીવનશૈલી બાબત માર્ગદર્શન વગેરે મુદાઓ પર દેશભરના નિષ્ણાતો દ્વારા ગહન ચર્ચા કરવામાં આવશે અને તબીબો એક બીજાના જ્ઞાનની આપલે કરશે
આ કોન્ફરન્સમાં મુંબઈના ડો. સતીષ ખડીલકર. ડો. ઉદય જાદવ, ડો. જોય દેસાઈ. ડો. મનોજ ચઢા, ડો સમીર શાહ, ડો નલીની શાહ. ડો. નિતીન શાહ, ડો. રાહુલ પંડીત, ડો. ભૂપેન દેસાઈ, લોહી રોગ અને કેન્સરના નિષ્ણાત મુંબઈના ડો. એમ. બી. અગ્રવાલ, સુરતના ડો. સલીલ વાણીયાવાલા, ડો. પિયુષ દેસાઈ, ડો વત્સા પટેલ ગુરુગ્રામના ડો. જાજીત વાસીર, રોહતકના ડો. સમીર અગ્રવાલ, અમદાવાદના ડો. હર્જીત ડુમરા, ડો. ઓમ્ લાખાણી, ડો. સુરભી મદાન. ડો. સપના પંડયા.ડો પ્રકાશ દરજી. ડો. જય કોઠારી, ડો અનિષ ચંદારાણા સહિત અનેક જાણીતા તબીબો દ્વારા જે તે વિષય પર લેક્ચર લેવામાં આવશે.
કોન્ફરન્સના આયોજન માટે એ.પી આર.કોન-2025ના પ્રેસીડન્ટ ડો. મયંક ઠક્કર, સેક્રેટરી ડો. મિલાપ ઠકરાર, સાયન્ટીફીક સેક્રેટરી ડો. ગુંજન જોષી, ઉપ પ્રમુખ ડો. પારસ શાહ, આઈ પી.પી. ડો. જયેશ ડોબરીયા, પ્રેસીડન્ટ ઈલેકટ ડો. તેજસ કરમટા, જોઈન્ટ સેક્રેટરી ડો. અર્ચિત રાઠોડ, ટ્રેઝરર સહિતના તબીબોની ટીમ કાર્યરત છે. કોન્ફરન્સના કો ઓર્ડીનેટર તરીકે ડો. સંજય ભટ્ટ, ડો. પંકજ પટેલ, ડો. તુષાર પટેલ સેવા આપે છે. કોન્ફરન્સના મેડિયો.કો ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રૂપના વિજય મેહતા સેવા આપે છે.
વર્તમાન સમયમાં લાઈફ સ્ટાઈલ ડીસીઝ વધ્યા: ડો. મયંક ઠકકર
ડો મયંક ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં લાઈફ સ્ટાઈલ ડીસીસ વધ્યા છે. અનિયમીત જીવન, કસરતનો અભાવ, જંક ફૂડ સહિત અપૌષ્ટીક ખોરાક, કામના ભારણના કારણે તથા અમુક સામાજીક કારણોસર માણસ સતત ચિંતામાં રહેતા હોય એના કારણે થતી અનેક શારીરિક સમસ્યા વગેરેના કારણે ડાયાબીટીસ, બીપી, મેદસ્વીપણું, ચીડીયાપણું વગેરે રોગ વધ્યા છે કેન્સર હદયને લગતા રોગ, પેટના રોગ વગેરેમાં પણ ચિંતાજનક વધારો થયો છે. રોગ વધ્યા છે એની સામે હવે જે તે રોગની સારવારમાં પણ પ્રગતિ થઈ છે.
દરેક રોગ માટે યોગ્ય નિદાન અને સારવાર માટે હવે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ બની છે અને વિશ્વમાં જે તે રોગની સારવારમાં અપડેટ આવ્યા હોય તેની સાથે આપણા વિસ્તારના તબીબો પણ તાલ મિલાવી સતત પોતાનું જ્ઞાન અપડેટ કરતા રહે છે. મેડિકલ સાયન્સમાં જે તે તબીબ માટે પોતાના જ્ઞાનની વૃધ્ધિ સાથે વિશ્વ કક્ષાની સારવાર બાબત જાગૃત રહેવું જરૂરી છે. અમોએ રાજકોટ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના તબીબો પણ તેમના જ્ઞાનમાં વૃધ્ધી કરી સમાજમાં સારી સેવા આપી શકે એવા ઉમદા હેતુ સાથે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના તબીબો માટે કોન્ફરન્સ રાખવાનું નક્કી કર્યા બાદ આ ત્રીજી વખત આવી કોન્ફરન્સ યોજી રહ્યા છીએ દર વખતે દેશભરના જે તે રોગના નિષ્ણાત કહી શકાય એવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તબીબોને રાજકોટ બોલાવી તેમની પાસેથી અમો વિવિધ રોગના નિદાન અને સારવાર વિશે માર્ગદર્શન મેળવીએ છીએ.