Abtak Media Google News

પ્રસિધ્ધ વકતા જય વસાવડાએ સનાતન ધર્મ એ જ માનવ ધર્મ પર સૌને મંત્રમુગ્ધ કર્યા

તા.૨૫ ના દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહનુ સમાપન યોજાયેલ, જે અંતર્ગત પ્રસિદ્ધ વક્તા અને કોલમીસ્ટ જય વસાવડા એ સનાતન ધર્મ એ જ માનવ ધર્મ પર સૌને મંત્રમુગ્ધ કરેલ હતા. દ્વાદશ જ્યોતિર્લિંગના પૂજારી તથા સમસ્ત અધિકારીઓ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

Dsc 9280

દ્વાદશ જ્યોતિર્લિંગના મુખ્ય લોકોનો સંવાદ કરી તૃતિય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ ૨૦૨૦ નું આયોજન ક્યાં કરવું તે અંગે સંક્ષીપ્ત સંવાદ કરી કાશિવિશ્વનાથ જ્યોતિર્લિંગમાં યોજવાનું સર્વ સંમતીથી નક્કિ કરવામાં આવેલ જેમનો પડો અને ધ્વજા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાશિવિશ્વનાથ ના અધિકારીશ્રી અને પુજારીશ્રીએ સ્વીકારેલ હતી. આ કાર્યક્રમમાં સોનેચા સ્કુલના એમબીએ છાત્રો અને સોમનાથ કર્મચારીઓને પણ અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલ, ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરી, ટ્રસ્ટી પ્રો.જે ડી પરમાર એ શુભેચ્છાઓ પાઠવી  આ ક્ષણ ની યાદો ગૃપ ફોટો કેમેરામાં કંડારેલ હતી.

આ પ્રસંગે સ્વસ્તીક પ્લાઝા પાસે પથ વીજય ભગવાન ધર્મચક્ર ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેડીકલ ચેકઅપ કેમ્પ તથા વિનામુલ્યે દવાઓ વિતરણ કરવામાં આવેલ જેમનો લાભ બહોળી સંખ્યામાં લોકોએ લીધેલ હતો. જેમને સફળ બનાવવા વજુભાઇ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.