Abtak Media Google News

યુવક પરિણિત હોવાથી બંનેના લગ્ન શક્ય ન બનતા વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકાના ડુંગરપુર ગામના પરિણિત યુવક અને અપરિણિત યુવતીએ વાડીએ સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા બંનેના પરિવારમાં અરેરાટી સાથે શોક છવાઇ ગયો છે. બંને વચ્ચે એકાદ વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું અને યુવક પરિણિત હોવાથી બંનેના લગ્ન શક્ય ન બનતા સજોડે આપઘાત કર્યાંનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

હળવદના ડુંગરપુર ગામે યુવક- યુવતીએ સજોડે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવને પગલે નાના એવા ગામમાં સોપો પડી ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલાએ ઘટના સ્થળે દોડી આવી તપાસનો દૌર શરૂ કર્યો છે.

હળવદ તાલુકાના ડુંગરપુર ગામે આજે એક સીમની ઓરડીમાં યુવક-યુવતીના ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા છે. પોલીસમાંથી મળતી વિગતો અનુસાર મૃતક યુવકનું નામ રઘુભાઈ રાણાભાઈ ઠાકોર છે અને કાજલબેન જીવણભાઇ ઠાકોર (ઉ.વ.20) વાંકાનેર તાલુકાના ઓળ ગામના છે.બન્નેના મૃતદેહ મૃતક યુવકના ભાઈની સિમની ઓરડીમાંથી મળ્યા છે.

હાલ પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે યુવક પરિણીત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જ્યારે યુવતી અપરણિત છે. ઘટના પરથી બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. નાના એવા ડુંગરપુર ગામમાં આજે યુવક- યુવતીના સજોડે આપઘાતના બનાવથી સોપો પડી ગયો છે. આ ઘટનાની જાણ થતા જ ગામના આગેવાનો ઉપરાંત હળવદ ઇન્ચાર્જ પીઆઇ એ.એ.જાડેજા, અને ચરાડવા બીટ જમાદાર કિશોરભાઈ પટેલ ઘટના સ્થળે દોડી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે હજુ એક અઠવાડિયા પૂર્વે જ હળવદ રેલવે સ્ટેશન નજીક પ્રેમી યુગલે કોઈ કારણોસર ધસમસતી આવતી ગુડ્સ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો હતો. તેમાં યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે ગંભીર રીતે ઘાયલ યુવતીએ થોડા સમય બાદ દમ તોડ્યો હતો. એક અઠવાડિયા બાદ આ બીજી સજોડે આપઘાતની ઘટના બની છે.

હળવદ તાલુકાના ડુંગરપર ગામે પ્રેમી પંખીડાએ સજોડે આત્મહત્યા કરી ચકચાર મચી જવા પામી છે. યુવક અને યુવતીએ રૂમ બંધ કરી ગળેફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે. છેલ્લા આઠ દિવસમાં હળવદ પંથકમાં પ્રેમી પંખીડાની સજોડે આત્મહત્યાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે.

ધસમસતી ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલે આપઘાત કરી લીધાની સાહિ હજુ સુકાણી નથી ત્યાં આજે હળવદ તાલુકાના ડુંગરપર ગામે રહેતા રઘુભાઈ રાણાભાઈ ઇન્દરીયા (ઉ.વ.27) અને કાજલબેન જીવણભાઈ વીંજુવાડિયા (ઉ.વ.20 રહે. ઓડ. તા.વાંકાનેર) નામના યુવક અને યુવતીએ રૂમ બંધ કરી ગળેફાંસો ખાઇ મોત વ્હાલુ કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બન્નેની આત્મહત્યા પાછળ પ્રેમસંબધ કારણભુત હોવાની ચર્ચા જાગી છે.

આ ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં તપાસનો ધમધમાટ શરૂ કરી યુવક યુવતીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.