જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને મતદાન મથકોનું પુનર્ગઠન કરવા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગીર-સોમનાથ જિલ્લામાં મતદાન મથકોનું પુનર્ગઠન કરવા અંગે ૯૦-સોમનાથ, ૯૧-તાલાળા, ૯૨ કોડીનાર અને ૯૩-ઉના વિધાનસભા મતવિભાગના ચૂંટણી અધિકારીઓ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરને પ્રાથમિક દરખાસ્ત અન્વયે રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે વિગતવાર મતદાન મથકોના પુનર્ગઠન વિશે ચર્ચા કરવામાં આવી હતી અને રાજકીય પક્ષો તરફથી મતદાન મથક સબંધિત સલાહ-સુચનોને આવકારવામાં આવ્યા હતા. તેમજ રાજકીય પક્ષોને મતદારો વધુને વધુ ઓનલાઇન એનવીએસપી અને વોટર હેલ્પ લાઈનનો ઉપયોગ કરી મતદારયાદીમાં સુધારો વધારો કરવા જણાવવામાં આવ્યું હતું.
Trending
- સનગ્લાસ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- ખાંભાના જંગલમાં ફોરેસ્ટરે મિત્રો સાથે ગેરકાયદે સિંહ દર્શન કર્યા ??
- રિલાયન્સના ક્વાર્ટર-4નું પરિણામ જાહેર : 18951 કરોડ નફો, શેર ઉપર રૂ.10નું ડિવિડન્ડ જાહેર
- તાઇવાન ધણઘણી ઉઠ્યું : ધડાધડ 80 ભૂકંપના આચકા
- ભારતનું સંરક્ષણ બજેટ વધીને રૂ. 7 લાખ કરોડે પહોચ્યું
- અંતે મસાલાની ગુણવત્તા ચકાસવા એફ.એસ.એસ.એ.આઇ મેદાને !!!
- શું હવે ખરેખર WhatsAppમાં ફોટા અને ફાઇલ ટ્રાન્સફર માટે ઇન્ટરનેટની જરૂરત નહીં રહે…????
- સૌરાષ્ટ્રમાં કેસર કેરીનું આગમન પણ, તાલાલા યાર્ડમાં વિધિવત રીતે પહેલી મેથી હરાજી શરૂ થશે