Abtak Media Google News

સાગર સંઘાણી 

જામનગરમાં નજીક દરેડ ગોકુલધામ સોસાયટીમાં રહેતા પચાસ વર્ષના એક આધેડે ગઈ કાલે પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ માં ગોકુલધામ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ ભુરાભાઈ સાદીયા નામના ૫૦ વર્ષના આધેડે ગઈ કાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં રસ્સો બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં ૧૦૮ ની ટીમને બોલાવાઈ હતી, જે ટુકડી ઘટના સ્થળે પહોંચી ત્યારે દિનેશભાઈનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર કપિલ દિનેશભાઈએ પોલીસને જાણ કરતાં પંચકોષી બી.ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.