Abtak Media Google News

અબતક,રાજકોટ

સૌરાષ્ટ્રમાં શરૂ થયેલી હત્યાના સીલસીલામાં પાંચ હત્યાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં કોટડાસાંગાણીના વાદીપરા, વઢવાણમાં આડાસંબંધના કારણે બે યુવાનની હત્યા થઈ છે જયારે જસદણના દહીસરા ગામે તાંત્રીક વિધીના બહાને પૈસા ડબલ કરી આપવાનું કહી 10 લાખ પડાવી લીધા બાદ પિતરાઈ ભાઈએ ભાઈની હત્યા કરી લાશ કુવામાં નાખી દીધી તી ત્રણ માસ પહેલાની ઘટનાનો અંતે ભેદ ઉકેલાયો છે.

આ ઉપરાંત ગોંડલના શિવરાજગઢ ગામે બે દિવસ પહેલા બ્લેકમેઈલ કરતા આદીવાદી પ્રૌઢને આદીવાસી યુવાને માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હતી જે ગુનાનો પોલીસે ભેદ ઉકેલી નાખી આરોપીની ધરપકડ કરી હતી.

બીજી બાજુ બાબરાનાં ઘુઘરાળા ગામે પડતર જમીનમાંથી દાટી દેવાયેલા માનવ કંકાલ મળી આવતા પોલીસે કબજે લઈ હત્યાની થીયરી પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.