- જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રીક્ષા ચાલક યુવાનની હ*ત્યા નિપજાવનાર કુલ આઠ આરોપીઓ પકડાયા
- પોલીસે પકડેલા પ્રથમ પાંચ આરોપીઓને બનાવ ના સ્થળ પર લઈ જઈ રી-કન્સ્ટ્રકશન કરાવ્યું: લોકોના ટોળા એકત્ર થયા
- રવિવાર બિનવારસી હાલતમાં યુવકનો મળ્યો હતો મૃ*તદેહ
- મૃ*તકના પિતાએ પાંચ શખ્સો સામે શંકા વ્યક્ત કરી હતી
જૂના મન દુઃખનાં કારણે મારા દીકરાની હ*ત્યા કરવામાં આવી : મૃ*તકની માતા
જામનગર ખાતે રહેતો અને રીક્ષા ચલાવી પોતાનાં પરિવારનું ગુજરાત ચલાવતા રીક્ષા ચાલક કાનજી ધનજી પરમારની રવિવાર રાત્રે કેટલાક યુવકો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. રવિવારે બિનવારસી હાલતમાં યુવકનો મૃ*તદેહ મળી આવ્યો હતો. ભાવનગર પોલીસે હ*ત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકનાં પિતા દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે જૂના મન દુઃખનાં કારણે મારા દીકરાની હ*ત્યા કરવામાં આવી છે. મૃ*તકની માતાએ પાંચ આરોપીઓ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં હિતેન મકવાણા, પ્રકાશ પરમાર, દિલીપ પરમાર, મનીયો મકવાણા અને આશિષ વારસાકિયાનો સમાવેશ થાય છે.
બનાવના સ્થળે લઈ જઈ રી- કન્સ્ટ્રકશન કરાવ્યું
જામનગરમાં દિગજામ સર્કલ નજીક સિદ્ધાર્થ નગરમાં રહેતા એક રીક્ષા ચાલક યુવાનને શનિવારે રાત્રે સમાધાન માટે બોલાવ્યા બાદ તેને એક મહિલાના ઘેર લઈ જઈ જુના મનદુઃખના કારણે તેની હ*ત્યા નિપજાવી હતી, જે મામલામાં પોલીસે મૃ*તકની માતાની ફરિયાદના આધારે હ*ત્યા અંગેનો ગુનો નોંધી સૌ પ્રથમ પાંચ આરોપીઓની અટકાયત કરી હતી, જ્યારે બનાવના સ્થળે લઈ જઈ રી- કન્સ્ટ્રકશન કરાવ્યું હતું, ત્યારે લોકોના ટોળા એકત્ર થયા હતા. દરમિયાન ગઈકાલે એક મહિલા સહિત વધુ ત્રણ આરોપીઓની અટકાયત કરી છે જેથી આ પ્રકરણમાં કુલ ધરપકડ નો આંક ૮નો થયો છે.
આ હ*ત્યા કેસના બનાવની વિગત
આ હ*ત્યા કેસના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા કાનજી ધનજી પરમાર નામના ૨૩ વર્ષના યુવાન નો દિગજામ સર્કલ નજીકથી લોહીથી લથબથ હાલતમાં મૃ*તદેહ મળી આવ્યો હતો. જે મામલે પોલીસે ઊંડાણ પૂર્વકની તપાસ કર્યા બાદ તેની હ*ત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે મૃ*તકની માતા રામીબેન ધનજીભાઈ પરમારે પોતાના પુત્રને જૂના મનદુઃખ ના કારણે મારી નાખવા અંગે તે જ વિસ્તારમાં રહેતા હિતેન ઉર્ફે હીરો દેપાળભાઈ મકવાણા, પ્રકાશ ઉર્ફે પવો પરમાર, દિલીપ ઉર્ફે દિનેશભાઈ પરમાર, મનીયો મકવાણા, અને આશિષ વારસાકિયા તેમજ તપાસમાં જેના નામ ખુલે તે આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે પકડેલા પ્રથમ પાંચ આરોપીઓને બનાવ ના સ્થળ પર લઈ જઈ રી-કન્સ્ટ્રકશન કરાવ્યું: લોકોના ટોળા એકત્ર થયા
જે ફરિયાદ બાદ સીટી ડીવાયએસપી જે.એન. ઝાલા ના માર્ગદર્શન હેઠળ સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન ના સ્ટાફને અલગ અલગ ટીમો બનાવીને સૌ પ્રથમ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, અને તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેઓએ જૂની અદાવતનું મનદુઃખ રાખીને મૃ*તક યુવાનને પોતાના સાથે હીનાબેન મકવાણા ને ઘેર લઈ ગયા હતા, અને ત્યાં લોખંડના પાઇપ- ધોકા જેવા હથિયારો વડે મૂઢ માર મારી અધમુવો કરી નાખ્યો હતો, ત્યારબાદ તેને લઈને દિગજામ ઓવરબ્રિજ નજીકના વિસ્તારમાં રેતી ના ઢગલા માં ફેંકી દીધો હતો, જ્યાં ગંભીર ઇજા થવાના કારણે તેનું મૃ*ત્યુ નીપજ્યું હતું, અને આ બનાવ હ*ત્યામાં પલ્ટાયો હતો. પોલીસે પાંચેય આરોપીઓને સાથે રાખીને સમગ્ર બનાવના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા.
આઠ આરોપીઓની અટકાયત કરી , જેની પૂછ પરછ ચલાવાઈ રહી છે
ત્યાર બાદ સીટી ડિવિઝન સી. ડિવિઝન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ એક મહિલા સહિત વધુ ૩ આરોપીઓને પકડ્યા છે. જેથી આ પ્રકરણમાં કુલ આઠ આરોપીઓ જેમાં રાહુલ મકવાણા રહે રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કરછી પાડો જામનગર, પ્રકાશ ઉર્ફે પકો પરમાર રહે ખેતીવાડી સીધ્ધાર્થ કોલોની શેરી નં – ૪ જામનગર, હીતેન ઉર્ફે હીરો મકવાણા રહે – રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્છી પાડો જામનગર, દિલીપ ઉર્ફે દીપો પરમાર રહે-ખેતીવાડી હીંગોરા ફેબ્રીકેશનની સામેની ગલીમાં જામનગર, મનોજ ઉર્ફે મનીયો મકવાણા રહે- અંધાશ્રમ પાછળ કચ્છી પાડી જામનગર, આશીષ ઉર્ફે આશીયો વારસાખીયા રહે અંધાશ્રમ પાછળ હનુમાન ચોક જામનગર, દેપાળભાઈ મકવાણા રહે – રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્છ પાડો જામનગર અને હીનાબેન મકવાણા રહે- રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્છ પાડો જામનગર વગેરે આઠ આરોપીઓ ની અટકાયત કરી લીધી છે, જેની પૂછ પરછ ચલાવાઇ રહી છે.
અહેવાલ : સાગર સંઘાણી