Abtak Media Google News

ભચાઉના શખ્સે સમાજના ગ્રુપમાં બંનેના ફોટા વાયરલ કરતા વિધવાએ ઝેરી ટીકડા ગટગટાવ્યા

રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતી વિધવાને પરણીત પુરુષ સાથેના પ્રેમ સંબંધમાં બદનામીના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ભચાઉના શખ્સે બંનેના અંગત પળોના ફોટો સમાજના ગ્રુપમાં વાયરલ કરતા વિધવાય ઝેરી ટીકડા અને ફીનાઇલ ગટગટાવતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

અંગેની પ્રાપ્તિગત મુજબ રાજકોટ રેલનગર વિસ્તારમાં આવેલી મહર્ષિ અરવિંદ ટાઉનશિપમાં રહેતા ચંદ્રિકાબેન રાજેશભાઈ ઝીંઝુવાડીયા નામના 40 વર્ષના વિધવાએ ચેરીટીકડા ખાય ફિનાઈલ પી લેતા તેઓને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલના બીજાને રહેલા ચંદ્રિકાબેન ઝિંઝુવાડીયા એ જણાવ્યું હતું કે ભચાઉના આશિષ સોની નામના શખ્સ સાથે બે મહિના પહેલા ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવાઈ હતી. ત્યાર બાદ આજે સોની અવારનવાર લગ્ન કરવા માટે ચંદ્રિકાબેનને પજવણી કરતો હોય ત્યારે વિધવાએ લગ્ન કરવાની ના પાડતા આશિષ સોનીએ બંનેના ફોટો સોની સમાજના ગ્રુપમાં વાયરલ કર્યા હતા.

આશિષ સોનીએ ચંદ્રિકાબેન સાથે ના ફોટો સમાજના ગ્રુપમાં મૂકીને હા બેન લગ્નની લાલચે પૈસા પડાવતા હોવાનું પણ તેમાં ઉમેર્યું હતું. જેના કારણે બદનામીના ડરથી ચંદ્રિકાબેને ઘઉંમાં નાખવાના ટીકડા અને ફિનાઈલ પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા પ્રદ્યુમન નગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને વધુ તપાસ હાથધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ચંદ્રિકાબેનના પતિ રાજેશભાઇનું અવસાન થયું હતું. તેઓને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જ્યારે આશિષ સોનીના પણ અગાઉ છૂટાછેડા થયા હોય અને તેને પણ સંતાનમાં એક પુત્ર હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.