Abtak Media Google News

શહેરની નામાંકિત કોલેજ હરિવંદનામાં ફિઝીયોથેરાપી સેન્ટરનું લોકાર્પણ: સતિષભાઈ મહેતા સહિતના મહાનુભાવોની ઉપસ્થિત

‘અબતક’ મીડિયા હાઉસના સુપ્રીમો સતિષભાઈ મહેતા સાથે પારિવારિક ધરોબો ધરાવતા ગુજરાતનાં લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ ગઈકાલે હોમ ટાઉન રાજકોટ ખાતે હરિવંદના કોલેજમાં શહેરનાં પ્રતિષ્ઠિત નાગરિકો સાથે એક વિચાર ગોષ્ઠીમાં એવી નિખાલસ કબૂલાત કરી હતી કે, મુખ્યમંત્રી બન્યા બાદ જયારે મેં ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી તે વેળાએ મેનેજીંગ એડિટર સતિષભાઈ મહેતાએ મારી સમક્ષ રજૂ કરેલા પ્રજાલક્ષી અને હકારાત્મક સુચનો પ્રશ્ર્નોથી મને કામ કરવાની નવી જ ઉર્જા મળી રહી છે. અને એ વાત કહેતા ખૂબજ આનંદ થાય છે કે સતિષભાઈના હકારાત્મક સુચનો પર હું હાલ કામ કરી રહ્યો છું.

Vlcsnap 2017 04 20 09H08M42S11શહેરની નામાંકિત કોલેજ હરિવંદના ખાતે ગઈકાલે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પધાર્યા હતા. હરિવંદના કોલેજ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના વરદ હસ્તે ફિઝીયોથેરાપી સેન્ટરનું લોકાર્પણ કરાયું હતુ આ કાર્યક્રમમાં હરિવંદના કોલેજના ટ્રસ્ટી તેમજ પ્રિન્સીપાલ અને અબતક મીડિયા હાઉસના મેનેજીંગ તંત્રી સતીષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

હરિવંદના કોલેજ ખાતે ફિઝોયોથેરાપી સેન્ટરના લોકાર્પણ કર્યા બાદ અબતક સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ જણાવ્યું હતું કે, અબતક સાથેની પ્રથમ મુલાકાત દરમીયાન અબતક દ્વારા જે પ્રજાલક્ષી વિકાસના પ્રશ્ર્નો મુકવામાં આવ્યા હતા. તે પ્રશ્ર્નો હું હકારાત્મક રીતે પુરા કરી શકયો છું તેને લઇ હું આનંદીત થયો છું.

મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ અબતક સાથની વાતચીતમાં વધુ જણાવ્યું હતું કે ભગવાને મને તક આપી અને હું મુખ્યમંત્રી બન્યો આવનારા સમયમાં અબતકના જે પ્રજાલક્ષી વિકાસ કાર્યોના પ્રશ્ર્નો હતા તે બધી વસ્તુને ઝડપી અમલ કરી આપણું ગુજરાત સ્વચ્છ અને સા‚ બને અને સમૃઘ્ધ ગુજરાત બને તે દિશાઓમાં પ્રયત્ન કરી રહ્યો છું.

હોમ ટાઉન રાજકોટને ફાટકમૂકત શહેર બનાવવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ધ્યેય

મુખ્યમંત્રીના હસ્તે રેલનગર અંડરબ્રીજનું લોકાર્પણ દોઢ લાખ શહેરીજનોને મળી પરિવહનની સુવિધા જૂન સુધીમાં આજીડેમને નર્મદા નીરથી ભરી દેવાની વધુ એકવાર બાહેંધર

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ શહેરને રેલ્વેના ફાટકની અગવડમાંી મુકત કરવાની રાજયસરકારની નેમ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીએ તેમના માદરે વતન રાજકોટમાં વિવિધ વિકાસ કામોના શુભારંભની હારમાળા અન્વયે રેલનગર અંડરબ્રીજનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્તિ નગરજનોને સંબોધતાં મુખ્યમંત્રીએ આ બ્રીજના નિર્માણ કી રાજકોટવાસીઓની સુવિધામાં વધારો વાનો આશાવાદ વ્ય્કત કર્યો હતો.

સમય સો બદલાવની રાજય સરકારની નીતીના ભાગરૂપે રાજકોટમાં અદ્યતન એસ.ટી બસ સ્ટેન્ડ તા નવા એરપોર્ટના નિર્માણ કરવામાં આવશે. એમ જણાવતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આ સુવિધાી શહેરની કાયાપલટ શે, તેવી ખાત્રી ઉચ્ચારી હતી.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ રાજકોટ મહાનગપાલીકાના શાસકોને સુચના આપી હતી કે, રાજકોટમાં આવેલા તમામ ફાટકો પર અંડરબ્શ્રીજ કે ઓવરબ્રીજ બનાવવાની દરખાસ્ત આવનારા બજેટમાં મુકે જેી શહેરજનોને અદ્યતન સુખ સુવિધા મળી શકે.

આવનાારા દિવસોમાં રાજકોટની જનતાની પાણીની જરૂરિયાત પુરી કરવા માટે આજીડેમને નર્મદાનાનીરી જુન માસમાં ભરી દેવામાં આવશે. એવી બાંહેધરી આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કતું કે  સૌની યોજનાની આ સમયસરની કામગીરીી શહેરીજનોનો પાણીની સમસ્યામાંી કાયમી છુટકારો શે.

મુખ્યમંત્રીએ આ સમારંભમાં સગૌરવ જાહેરાત કરી હતી કે ખાનગી શાળામાં પ્રવેશ માટે ફી નિર્ધારણ સમિતિનું ગઢન કરનારૂ ગુજરાત દેશનું પ્રમ રાજય છે. આ સમિતીની રચના કી સામાન્ય નાગરીકોના બાળકો પ્રાઇવેટ સ્કુલમાં નજીવી  ફી ી પ્રવેશ મેળવી શકશે. અને શિક્ષણ ક્ષેત્રે નવી પ્રગતી સાધી શકાશે. એમ પણ શ્રીરૂપાણીએ ઉર્મેયું હતું.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ રેલ્વે વિભાગના સહયોગને બિરદાવતાં ઉમેર્યુ હતું કે આ અંડરબ્રીજના નિર્માણી રેલનગર વિસ્તારની સુવિધામાં પુષ્કળ વધારો શે. આ અંડરબ્રીજના નિર્માણ અંગે સક્રિય રસ લેનારા તમામ નાગરીકોના પ્રદાનને મુખ્યમંત્રીશ્રીએ સહ્રદયતાી યાદ કર્યુ હતું.

દારૂબંધી, ગૌરક્ષા અધિનિયમ, સૌની યોજના, પારદર્શી સરકારીનીતિ વગેરેની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ગુજરાતને દેશનું રોલ મોડલ બનાવવા માટે નાગરીકોનો સહયોગ માગ્યો હતો.

દિપપ્રાગટયી કાર્યક્રમનો શુભારંભ યા બાદ પશ્ચિમ રેલ્વેના ડીવિઝનલ મેનેજરશ્રી નિનામાએ ફુલોના વિશાળ હારી મુખ્યમંત્રીનું  સ્વાગત કર્યુ હતું. મ્યુ.કમિશ્નરશ્રી બંછાનિધિ પાનીએ સ્વાગત પ્રવચનમાં નવા બનેલા રેલનગર અંડરબ્રીજની આંકડાકીય વિગતો વણી લીધી હતી.

મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાયે પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટ મહાનગપાલીકા દ્વારા આ વિસ્તારમાં કરાઇ રહેલા વિકાસકામોની રૂપરેખા આપી હતી. અને રાજય સરકાર દ્વારા મળી રહેલા સહકારની સરાહના  કરી હતી. સંસદસભ્ય મોહનભાઇ કુંડારિયાએ રાજકોટની જનતાને વધુને વધુ સુવિધા આપવાની સરકારની પ્રતિબધ્ધતાદોહરાવી હતી.

સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ  યોજના અન્વયે માત્ર પાંચ વર્ષના ગાળામાં રૂ.૧૭ કરોડી વધુના ખર્ચેના બનેલા રેલનગર અંડરબ્રીજી દોઢ લાખ લોકોને ફાયદો શે, જે બદલ અંડરબ્રીજની આસપાસના વિસ્તારના નાગરીકોએ પરંપરાગત રીતે મુખ્યમંત્રીનું બહુમાન કર્યુ હતું.આ કાર્યક્રમમાં મ્યની.ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, પ્રવિત્ર યાત્રાધામ  વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઇ ધૃવ, ધારાસભ્ય  ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર ડો.દર્શીતા શાહ, શહેર ભાજપ અધ્યક્ષશ્રી કમલેશભાઇ મીરાણી, સયી સમિતિના અધ્યક્ષ પુષ્કરભાઇ પટેલ, સમાજકલ્યાણ સમિતિના અધ્યક્ષ જૈમીનભાઇ ઠાકર, વિપક્ષના નેતા  ગાયત્રીબા વાઘેલા, ડેપ્યુટી મ્યુની. કમિશ્નર ચેતન નંદાણી, તેમજ નગરસેવકો , સનીક રહીશો વગેરે ઉપસ્તિ રહયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.