Abtak Media Google News

મુસ્લિમ યુવાનના મૃત્યુથી પરિવારમાં કાળો કલ્પાંત

રાજકોટમાં કોઠારીયા રોડ પર નિલકંઠ પાર્ક ૩માં રહેતા જાવેદભાઈ મામદભાઈ ડેલા નામના ૨૭ વર્ષનો યુવાન પોતાના બાઈક પર લોધિકાના છાપરા ગામની ગોળાઈ પાસેથી પસાર થતો હતો ત્યારે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં જાવેદભાઈ ડેલાએ સારવારમાં દમ તોડતા પરિવારમાં માતમ છવાઈ રહ્યો છે. પોલીસે ઘટનાની નોંધ લઈ મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મુસ્લિમ યુવાનના અકાળે મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. પરિવાર શોકમગ્ન થઇ ગયો છે. લોધિકાના છાપરા ગામની ગોળાઇએ અનેક લોકોના જીવ લીધા છે ત્યારે આ રસ્તાને સુધારવાની તાતી જરૂરિયાત જણાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.