- દેશના ટોચના ઔદ્યોગિક સમુહ અદાણી ગ્રુપ વ્યવસાય વિકાસ નફા અને આવકની જેમ પ્રતીબધ્ધતા પૂર્વક કર ભરવામાં પણ સૌથી મોખરે રહે છે.
- અદાણી સમૂહે હિતધારકોના હિતને ટોચના સ્થાને રાખવાની પ્રસ્થાપિત કરેલી પરંપરાને અનુરૂપ નાણાકીય વર્ષ 2023-24 માટે કરની ચૂકવણી સંબંધી તેનો પારદર્શિતા અહેવાલો જાહેર કર્યા છે.
- નાણાકીય વર્ષ 2023-24 માટે અદાણી સમૂહ પોર્ટફોલિયોની લિસ્ટેડ કંપનીઓનો કુલ વૈશ્વિક કર અને સરકારી તિજોરીમાં અન્ય ફાળો નોંધપાત્ર વધીને રુ.58,104.4 કરોડે પહોંચ્યો છે. અગાઉના વર્ષમાં આ રકમ રુ 46,610.2 કરોડ હતી.
આ વિગતો સમૂહની સાત લિસ્ટેડ કંપનીઓ અદાની એન્ટરપ્રાઇઝ લિ.,અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.,અદાણી ગ્રીન એનર્જી લિ.,અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.,અદાણી પાવર લિ.,અદાણી ટોટલ ગેસ લિ. અને અંબજા સિમેન્ટ્સ લિ.દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સ્વતંત્ર અહેવાલોમાં આવરી લેવામાં આવી છે. આ રકમમાં અન્ય ત્રણ લિસ્ટેડ કંપનીઓ એનડીટીવી, એસીસી અને સાંઘી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભરપાઇ કરવામાં આવેલ કર સામેલ છે.
અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે પારદર્શિતા એ વિશ્વાસનો પાયો છે, અને ટકાઉ વિકાસ માટે વિશ્વાસ જાળવી રાખવો અનિવાર્ય છે. તિજોરીમાં ભારતના સૌથી મોટા યોગદાતા તરીકે અમે સ્વીકારીએ છીએ કે અમારી જવાબદારી જુદા જુદા નિયમનોના અમલવારીથી વિશેષ છે તે સાથે નિષ્ઠાવાન અને જવાબદારીભર્યું કામકાજ અદા કરવાની પણ છે. તેમણે કહ્યું હતું કે આપણા રાષ્ટ્રની નાણાકીય બાબતોમાં અમે યોગદાન આપીએ છીએ તે પ્રત્યેક રૂપિયો પારદર્શિતા અને સુશાસન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને અભિવ્યક્ત કરે છે. આમ જનતા સમક્ષ સ્વૈચ્છિક રીતે આ અહેવાલો જાહેર કરવા પાછળનો અમારો હેતુ હિસ્સેદારોના આત્મવિશ્વાસમાં ઉત્તરોત્તર વધારો કરી અને એક જવાબદાર કોર્પોરેટ તરીકેના આચરણો માટે એક નવા બેંચમાર્ક સ્થાપવાનો છે.
આ એક સ્વૈચ્છિક પહેલ દ્વારા અદાણી સમૂહનું લક્ષ્ય પારદર્શિતા પરત્વેની તેની પ્રતિબદ્ધતા, હિસ્સેદારોના ભરોસામાં ખરા ઉતરવા અને વધુ જવાબદાર વૈશ્વિક કર વાતાવરણમાં ફાળો આપવાનો છે. કર પારદર્શિતાને તેના વ્યાપક ઇએસજી ફ્રેમવર્કના અભિન્ન ભાગ તરીકે ગણતા અદાણી જૂથનો પ્રયાસ નવીનતાને પ્રોત્સાહન આપતી વેળા અને હિસ્સેદારો માટે લાંબા ગાળાનું મૂલ્ય સર્જન કરતી વખતે સામાજિક જવાબદારી સાથે વૃદ્ધિને એકરુપ બનાવવાનો છે, આખરી લક્ષ્ય ભારત રાષ્ટ્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાનું છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે વૈશ્વિક કર માહોલના નવા યુગમાં પ્રવેશ સાથે ભવિષ્ય તરફ મીટ માંડી રહેલી કંપનીઓ સ્વૈચ્છિક રીતે કર પારદર્શિતા અહેવાલ જાહેર કરી રહી છે, તે ફરજિયાત નથી. છતાં આ અહેવાલની જાહેરાત દ્વારા આવી કંપનીઓ કર ચૂકવણીની પારદર્શિતાના ઉચ્ચતમ ધોરણોને આધાર બનાવવા ઉપરાંત હિસ્સેદારના વિશાળ હિત અને વધુ વિશ્વસનીયતા લાવવાના પ્રયાસ કરે છે. આ માટે અદાણી સમૂહે એક સ્વતંત્ર અહેવાલ પૂરો પાડવા માટે એક વ્યવસાયિક એજન્સીને રોકી છે.
- અદાણી ગુપ મધ્ય પ્રદેશમાં રૂ.2.10 લાખ કરોડનું કરશે રોકાણ
- અદાણી જુથનો વિકાસ આવક, નફાની જેમ કર ચુકવણીમાં પણ સૌથી મોખરે
- અદાણીની વિકાસ પરિયોજનાઓ રાજયમાં સવા લાખ નોકરીઓનું કરશે સર્જન
અદાણી ગ્રુપે કેરલ બાદ મધ્યપ્રદેશમાં પણ મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. સોમવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજીત ગ્લોબલ બિઝનેસ ઈન્વેસ્ટર્સ સમીટમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે, વિવિધ પ્રોજેક્ટ્સ માટે અદાણી જૂથ રૂ. 2,10,000 કરોડનું રોકાણ કરશે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સ્માર્ટ મીટરિંગ સુધીના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે
અદાણીનું જૂથ મધ્યપ્રદેશ રાજ્યના પમ્પ્ડ સ્ટોરેજ, સિમેન્ટ, ખાણકામ, સ્માર્ટ મીટર અને થર્મલ એનર્જી સેક્ટર્સમાં પણ રોકાણ કરશે, જેનાથી 2030 સુધીમાં 1,20,000 થી વધુ નોકરીઓનું સર્જન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ડો.મોહન યાદવના નેતૃત્વમાં અદાણીએ મધ્યપ્રદેશને ભારતના સૌથી વધુ રોકાણ માટે તૈયાર રાજ્યોમાંના એકમાં પરિવર્તિત કરવાની જૂથની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી હતી.
મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025 ને સંબોધતા કહ્યું. અદાણીએ કહ્યુ હતું કે “આ ફક્ત રોકાણો નથી, “આ એક સહિયારી યાત્રામાં સીમાચિહ્નો છે, એક એવી યાત્રા જે મધ્યપ્રદેશને ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં રાષ્ટ્રીયસ્તરે લીડર બનાવશે.”અદાણીએ જણાવ્યું હતું કે, 1 લાખ કરોડ રૂપિયાના વધારાના રોકાણોમાં ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, એક મોટો એરપોર્ટ પ્રોજેક્ટ અને કોલસા ગેસિફિકેશનના પ્રોજેક્ટ્સનો સમાવેશ થશે.
અદાણી ગ્રુપ મધ્યપ્રદેશમાં ઉર્જા, માળખાગત સુવિધા, ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને કૃષિ-વ્યવસાયમાં 50,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરી ચૂક્યું છે, જેનાથી 25,000 થી વધુ નોકરીઓનું સર્જન થશે. અદાણીએ તેમના સંબોધનમાં ઉમેર્યુ હતું કે “નવા રોકાણો રાજ્યના ઔદ્યોગિક ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે, જે ભારતની આત્મનિર્ભરતા અને નવીનતાના વિઝન સાથે સુસંગત રહેશે.”અમે મજબૂત, વધુ સમૃદ્ધ મધ્યપ્રદેશના આપના વિઝનને સમર્થન આપવા પ્રતિબદ્ધ છીએ,”.
અગાઉ અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષમાં કેરળમાં 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. કોચીમાં ઇન્વેસ્ટ કેરળ ગ્લોબલ સમિટમાં અદાણી પોર્ટ્સ અને સેઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ કેરળના વિકાસ અને પ્રગતિની યાત્રામાં સહભાગી બનવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.