Abtak Media Google News

રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્થ્તિ થાન સ્ટેશન પાસે દર વર્ષે તરણેતર મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-ભાવનગર અને ભાવનગર-ઓખા ટ્રેનોમાં હંગામી ધોરણે બે વધારાના જનરલ કોચ ઉમેરવાનો નિર્ણય લેવાયો છે.

વિશ્વપ્રસિધ્ધ તરણેતરનો મેળો

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:1.ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ માં તાત્કાલિક અસરથી 01.09.2022 સુધી ભાવનગર-ઓખા વચ્ચે બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે. 2.ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ માં 30.08.2022 થી 02.09.2022 સુધી ઓખા-ભાવનગર વચ્ચે બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.