Abtak Media Google News

મુંદ્રા: મારામારીના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સો દસ વર્ષ બાદ ઝડપાયા

નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલ અને સર્કલ પોલીસ ઇન્સપેકટર બી.એચ. ચૌઘરીના માર્ગદર્શન હેઠળ મુંદરા મરીન પો.સ્ટે. અરવિંદ બાલનાથ ઉર્ફે બેજનાથ તિવારી રવિન્દ્રકુમાર બાલનાથ ઉર્ફે બેજનાથ તિવારી, સંજયફઅવસ્તી રાજીવ લોચઅસ્વતી, રાજેશકુમાર રામકુપાલ મિશ્રા છેલ્લા દસ વર્ષથી નાસતા-ફરતા હોય જેઓની સતત તપાસ કરવામા આવી રહેલ હતી આ આરોપીઓ શોધવા માટે પી.એસ.આઇ. જી.વી. વાણીયા મુંદરા મરીન પો.સ્ટે. તથા એ.એસ.આઇ સુરેશભાઇ મણીરામ યાદવ તથા એ.એસ.આઇ. પુનશીભાઇ લાખુભાઇ ગઢવી તથા યુ.એચ.સી. સિદ્ધારાજસિંહ પુથ્વીસિંહ ઝાલા તથા યુ.એચ.સી દિનેશભાઇ ચંદુલાલભાઇ ગોહિલ તથા યુ.એચ.સી યશપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ સતત પ્રયત્નશીલ હતા. અને તમામ સતત અને અથાગ મહેનત કરી આરોપીઓના લોકેશન મેળવી વર્કઆઉટ કરી ગુના કામે અટકાયતની કાર્યવાહી કરી સ્થાનીક સ્વરાજયની ચંટણી ૨૦૨૧ અંતર્ગત પ્રસંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.