Abtak Media Google News

મુખ્યમંત્રી આનંદભવન ખાતે ઝાલાવાડ બિઝનેસ કોન્વેવ-2022માં આપશે હાજરી

સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે ફરી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કાલે આવી રહ્યા છે તેવા સંજોગોમાં છેલ્લા દસ દિવસમાં બીજી વખત ઝાલાવાડ ની મુલાકાતે ભુપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા કાલથી ઝાલાવાડ બિઝનેસ કોન્વેવ 2022 નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

તેવા સંજોગોમાં આ બિઝનેસ કોન્વેવ ને ખુલ્લો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મુકવામાં આવશે તેવા સંજોગોમાં દસ દિવસમાં બીજી વખત મુખ્યમંત્રી સુરેન્દ્રનગર ની મુલાકાતે આવી રહ્યા છે.મુખ્યમંત્રી કાલે આવવાના હોવાના કારણે તડામાર તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરના આનંદ ભવન ખાતે સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી આવી જશે ત્યારબાદ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા 2022 બિઝનેસ ક્ધવેવનું સફળ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં થી બિઝનેસ કારો સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે અને અને ઝાલાવાડના બિઝનેસકારો સાથે ચર્ચા વિચારણા કરશે અને બિઝનેસનો કેમ ધંધાકીય વિકાસ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

ત્યારે આ મામલે ઝાલાવાડ નો વિકાસ થાય અને ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે પણ ઝાલાવાડ સમગ્ર ગુજરાત ઉપરાંત ભારત દેશમાં પ્રખ્યાત બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના આનંદ ભવન ખાતેથી 2022 બિઝનેસ ક્ધવેવનું શરૂઆત કરવામાં આવશે તેવા સંજોગોમાં ત્રણ દિવસ નાઈટ કાર્યક્રમોમાં ગુજરાતના સારા સારા કલાકારો ડાયરો પણ કરશે જેમાં ઓસમાન મીર મુખ્તાર શાહ અને દેવાયતભાઇ ખવડ પણ હાજરી આપશે ત્યારે આ શરૂ થતાં 2022 બિઝનેસ ક્ધવેવમાં ઝાલાવાડ ની જનતા ને પધારવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.