Abtak Media Google News

રાજયમાં નવા 577 કેસ નોંધાયા: 633 દર્દીઓએ કર્યો કોરોનાને મ્હાત

ગુજરાતમાં 113 દિવસ અર્થાત ચાર મહિલા  જેટલા સમયગાળા બાદ કાળમુખા કોરોનાએ એક જ દિવસમાં બે વ્યકિતઓના ભોગ લીધા છે. મંગળવારે રાજયનાં નવા 577 કેસ નોંધાયા હતા.જેની સામે 633 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. હાલ રાજયમાં 4156 એકિટવ કેસ છે જેની સામે 4153 દર્દીઓની હાલત સ્થિર છે અને 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

ગુજરાતમાં મંગળવારે કોરોનાનું જોર થોડું વધુ દેખાયું હતું. રાજયમાં નવા 577 કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 247 કેસ, સુરત કોર્પોરેશનમાં 67 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 31 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 28 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં ર0 કેસ, જામનગર કોર્પોરેશનમાં 9 કેસ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં નવા સાત કેસ નોંધાયા હતા જયારે મહેસાણા જીલ્લામાં 31 કેસ, પાટણ જીલ્લામાં ર7 કેસ નવસારી  જીલ્લામાં 1પ કેસ, સુરત જીલ્લામાં 1ર કેસ, વલસાડ જીલ્લામાં 11 કેસ, ભાવનગર જીલ્લામાં 10 કેસ, કચ્છ જીલ્લામાં 9 કેસ, ખેડા જીલ્લામાં 6 કેસ, વડોદરા જીલ્લામાં પાંચ કેસ, ગાંધીનગર જીલ્લામાં પાંચ કેસ, આણંદ, ભરુચ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર જીલ્લામાં નવા ચાર-ચાર કેસ, અમદાવાદ અને બનાસકાંઠા જીલ્લામાં 3-3 કેસ, જામનગર જીલ્લામાં બે કેસ, મોરબી, બનાસકાંઠા અને તાપી જીલ્લામાં એક-એક કેસ નોંધાયો હતો.113 દિવસ બાદ રાજયમાં મંગળવારે કોરોનાએ બે દર્દીઓનો ભોગ લીધો છે ગાંધીનગર અને વલસાડમાં બે વ્યકિતના મોત નિપજયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.