- જિલ્લા વહીવટી તંત્રને સતત સંપર્કમાં: તમામ મદદની ખાતરી
કાશ્મીરના પ્રવાસે ગયેલા રાજકોટના 13 પ્રવાસીઓ સંપૂર્ણ સલામત છે. જિલ્લા કલેકટરના દિશા નિર્દેશ મુજબ તમામ પ્રવાસીઓને રૂબરૂ મળીને તેમની સલામતીની હૈયાધારણા સંબંધિત વિસ્તારના મામલતદારો પાઠવી હતી.
જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, કાશ્મીરના પ્રવાસે ગયેલા રાજકોટના કુલ 13 પ્રવાસીઓ હાલ સંપૂર્ણ સલામત છે, કુલદીપસિંહ નકુમ, રુચિ નકુમ, રાજદિપસિંહ વાઘેલા, વૈશાલીબા વાઘેલા, જગદિપ રસિકલાલ પારેખ, નીતાબેન જગદીશ પારેખ, મહેન્દ્રભાઈ એમ. મહેતા , મયુરીબેન એમ મહેતા, નીરવ રમેશભાઈ આચાર્ય, કિંજલબેન નીરવભાઈ આચાર્ય, જ્ઞાનેશ નિરવભાઈ આચાર્ય, તીર્થ નિરવભાઈ આચાર્ય અને હેત મનોજભાઈ માંકડહાલ કાશ્મીરમાં છે.
કલેકટર પ્રભવ જોશીના દિશા નિર્દેશ મુજબ ઉપરોક્ત તમામ વ્યક્તિઓનો સંબંધિત વિસ્તારના મામલતદારોએ સંપર્ક કરીને કાશ્મીરની મુલાકાતે ગયેલા તેમના સ્વજનો સહી સલામત હોવાની હૈયાધારણા પાઠવી છે, અને જિલ્લા વહીવટી તંત્રના તમામ સહયોગની ખાતરી આપી છે. જમ્મુ કાશ્મીરમાં પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં અસરગ્રસ્ત થયેલા પ્રવાસીઓની મદદ માટે જમ્મુ અને કાશ્મીર ટુરિઝમ દ્વારા ગુલમર્ગ ખાતે કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે.
ટુરિઝમ અધિકારીના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરના પ્રવાસે આવેલા પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની મદદ માટે કચેરી ખાતે રૂબરૂ તેમજ ે હેલ્પ લાઈન નંબરનો સંપર્ક કરી શકાશે.
કંટ્રોલ રૂમ નં. – 01954 – 294439 તેમજ આ મોબાઈલ નંબર પર ફોન તેમજ વોટ્સએપ નંબર 9419029997, 9797773722, 6006225055, 7006481108, 9797559766 પર સંપર્ક કરી શકાશે.
ગુજરાતના મૃતકોના પરિજનોને પાંચ લાખની સહાય જાહેર કરતી રાજય સરકાર
જમ્મુ – કાશ્મીરના પહલગામના બૈરાસનમાં ગત શુક્રવારે થયેલા આતંકવાદી હુમલામાં ર8 પ્રવાસીઓના મોત નિપજયા હતા. જેમાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના ભાવનગરના બે અને દક્ષિણ ગુજરાતના સુરતના એક પ્રવાસીનું મોત નિપજયું છે. ગઇકાલે રાતે ત્રણેય મૃતદેહને રાજકોટ લાવવામાં આવ્યા હતા. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના પરિવારજનોને પાંચ લાખની આર્થિક સહાય આપવાની ઘોષણા કરી છે જયારે ઘાયલોને પ0 હજારની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરાય છે.