Abtak Media Google News

મોરબી સહીત રાજ્યના 20 શહેરોમાં ગઈકાલે રાત્રીના 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી બનતા મોરબીથી રાજકોટ, જામનગર અને અમદાવાદ જતી સાંજની બસના રૂટ કેન્સલ કરી દેવાયા છે અને એ જ રીતે મોરબી ડેપોની નાઈટ હોલ્ટ રૂટમાં ચાલતી હરીપર, માણેકવાડા અને વવાણીયા રૂટ પણ હાલ રદ કરી નાખવામાં આવ્યા છે. બીજી તરફ કોરોનાના ભયને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ખાસ કરીને આંતરરાજ્ય પ્રવાસ કરવાનું બંધ કરતા મોરબી એસટી ડેપોની આવક છેલ્લા અઠવાડિયામાં 50% જેટલી ઘટી હોવાની માહિતી સુત્રો માંથી પ્રાપ્ત થઈ રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.