Abtak Media Google News

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHCAA) એ જસ્ટિસ નિખિલ એસ કેરીયલ  ગુજરાતમાંથી પટના હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાના સુપ્રીમ કોર્ટના કોલેજિયમના પ્રસ્તાવના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટના તમામ વકીલો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. આજે બપોરે 2 વાગ્યે બોલાવવામાં આવેલી GHCAAની તાકીદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

બારની વ્યથા સુપ્રીમ કોર્ટ કોલેજિયમ સુધી પહોંચાડવા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને રજૂઆત કરવામાં આવશે. જસ્ટિસ કેરીયલને ગુજરાતમાંથી પટના હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાના કોલેજિયમના નિર્ણય અંગે બાર અને બેન્ચે આજે જાણ કરી હતી. આ સમાચારની જાણ થયા પછી, વરિષ્ઠ વકીલો સહિત સેંકડો વકીલો આ પગલા સામે પોતાનો વિરોધ નોંધાવવા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના કોર્ટ હોલમાં એકઠા થયા હતા.

જ્યારે મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે પૂછ્યું કે તેઓ શા માટે કોર્ટમાં ભેગા થયા, એક વરિષ્ઠ વકીલ મિહિર ઠાકોરે સૂચિત ટ્રાન્સફર પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે તે ન્યાયતંત્રની સ્વતંત્રતાનું મૃત્યુ થયું છે જેના માટે તેઓ બે મિનિટનું મૌન પાળવા ઈચ્છે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.