Abtak Media Google News

એલોપથી અને આયુર્વેદનો વચ્ચે ચાલ્યો આવતો વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. પેલા IMA એ થોડા દિવસ પેલા રામદેવ પર 1 હજાર કરોડનો દંડ ફટકાર્યો. જયારે સામે જવાબમાં બાબા રામદેવ એક નવું નિવેદન આપ્યું છે. નિવેદનમાં તેણે અભિનેતા આમિર ખાનનો એક વીડિયો શેર કર્યો છે.

બાબા રામદેવે વીડિયો ટ્વિટર પર શેર કરતા કહ્યું કે, ‘જો મેડિકલ માફિયાઓની હિંમત હોય તો તેણે આમિર ખાન સામે મોરચો ખોલવો જોઈએ. સ્ટાર પ્લસમાં આમિર ખાનનો સત્યમેવ જયતે શો આવતો હતો તેનો વીડિયો શેર કર્યો છે.

બાબાએ મેડિકલ બાબતે સવાલ ઉઠાવતા કહ્યું છે કે, ‘રાજસ્થાનમાં એક વ્યક્તિએ મેડિકલ સ્ટોરમાંથી 2151 રૂપિયાની દવા લીધી હતી, તે જ દવા જેનરિક મેડિકલ સ્ટોરમાંથી 354 રૂપિયામાં મળી આવી હતી. આ બાબત પર તમે સવાલ કેમ નહીં ઉઠાવતા.’

બાબા રામદેવે આગળ વાત કરતા કહ્યું કે, ‘ભારતનો દરેક બીજો વ્યક્તિ કોરોનાની પકડમાં આવી ગયો છે. મોટાભાગના લોકોને તેના વિશે ખબર ન હતી. મોટા ભાગના લોકો તેમના યોગ અને કોરોનિલ દ્વારા કોરોનાથી બચ્યા છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.