Abtak Media Google News

કૌન બનેગા કરોડપતિના શોમાં હોટ સીટ પર ક્રિકેટર યુવરાજસિંઘ ભાવુક થઈ ગયો

કૌન બનેગા કરોડપતિના ફાઈનલ શોમાં અમિતાભે યુવરાજને રોવડાવ્યો હતો. જી હા, ક્રિકેટર યુવરાજસિંઘ હોટ સીટ પર મેગા સ્ટાર અમિતાભ બચ્ચન સામે પોતાની કેન્સરની બિમારીને લઈને ભાવુક થઈ ગયો હતો. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંઘ કેન્સરની ખતરનાક બિમારીમાંથી માંડ-માંડ હેમખેમ બહાર આવ્યો છે. તેણે અમેરિકાની એક હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

છેલ્લે ૨૦૧૧માં રમાયેલા વિશ્ર્વકપની ફાઈનલમાં શ્રીલંકા સામે ભારત વતી ધુંઆધાર બેટીંગ કર્યા બાદ યુવરાજસિંઘને લોહીની ઉલટી શ‚ થઈ ગઈ હતી. દર્શકોને યાદ હશે કે, ભારત ફાઈનલ મેચ જીત્યુ ત્યારે યુવરાજસિંઘને ખુબજ ઉધરસ ચડી હતી. તે રનીંગ બીટવીન ધ વિકેટ માંડ-માંડ દોડી શકયો હતો. તેમજ ગ્રાઉન્ડ ઉપર બેસી ગયો હતો. ત્યારબાદ તેને ખતરનાક બિમારી કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેણે તુર્ત જ અમેરિકાની વાટ પકડી હતી. ત્યાં તેની લાંબી સારવાર ચાલી હતી અને અંતે હેમખેમ બહાર આવ્યો હતો.

અત્યારે તે ક્રિકેટ રમવા સીવાય યુવી કેન નામની સેવાકીય સંસ્થા પણ ચલાવે છે. જે કેન્સરગ્રસ્ત ગરીબ દર્દીઓને સારવાર માટે ભંડોળ એકત્ર કરવાનું કામ કરે છે. કેબીસીમાં યુવરાજસિંઘ જે રકમ જીત્યો તે તેની સંસ્થા ગરીબ દર્દીઓની સારવાર પાછળ વાપરશે.

કૌન બનેગા કરોડપતિના શોમાં હોટ સીટ પર યુવરાજસિંઘની સાથે બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન પણ હાજર હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.