અમરેલી જિલ્લામા રેશનીંગના કેટલાક દુકાનદારોએ પોતાના કોમ્પ્યુટરમાં ડૂપ્લીકેટ સોફટવેર ઇન્સ્ટોલ કરી જરૂરિયાતમંદ લોકોને આપવાનું અનાજ બારોબાર ચાઉં કરી ગયાનુ કૌભાંડ બહાર આવ્યા બાદ જિલ્લા કલેકટરના હુકમના આધારે રાજુલા શહેરમા 11 ટીમોની રચના કરવામાં આવી છે. જે લોકોના ઘરે ઘરે જઇ અનાજ સહિતનો પુરવઠો મળ્યો કે નહી તેની તપાસ કરશે. અમરેલી જિલ્લામાં ડૂપ્લીકેટ સોફટવેરનો ઉપયોગ કરી લોકોના બોગસ થમ્બ ઇમ્પ્રેશન લઇ લેવામાં આવતા હતા અને તેના આધારે ફુડ કુપન જનરેટ કરી રેશનીંગનો મોટો જથ્થો સગેવગે કરવામાં આવતો હતો. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ છ દુકાનદારોની ધરપકડ કરાઈ છે.
Trending
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા