- અમરેલીમાં સવારે 10:12 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપ
- અમરેલીથી 44 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમ ખાતે કેન્દ્રબિદું નોંધાયું
ગુજરાતમાં ફરી એક વખત ભૂકંપના ઝટકા અનુભવાયા છે. અમરેલીમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો છે. ભૂકંપના ઝટકા અનુભવાતા જ લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
અમરેલીમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ
ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીમાં ફરી એક વાર ભૂકંપનો આંચકો આવ્યો છે. ભૂકંપનો આંચકો આવતાની સાથે જ લોકો ઘરમાંથી બહાર આવી ગયો હતો. મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીમાં સવારે 10 : 12 મિનિટે 3.2 ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ 44 કિમી અમરેલી દૂર નોંધાયુ છે.
વિભાગે પુષ્ટિ કરી છે કે, ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ દિશામાં નોંધાયું છે. આ આંચકાની અસર ખાંભા તાલુકાના ભાડ, ઈંગોરાળા, નાના વિસાવદર અને નાની ધારી જેવા ગામોમાં અનુભવાઈ હતી. ચિંતાજનક બાબત એ છે કે, છેલ્લા એક મહિનામાં આ વિસ્તારમાં આ ત્રીજો ભૂકંપનો આંચકો નોંધાયો છે. જોકે, કોઈ જાનહાનિ કે માલહાનિના સમાચાર નથી.
કચ્છ-સૌરાષ્ટ્રમાં વારંવાર આવે છે ભૂકંપ
ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં અવાર નવાર ભૂકંપના ઝટકા અનુભવાતા રહે છે. 11 માર્ચે જ કચ્છમાં એક જ દિવસમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અનુસાર, પહેલો ભૂકંપ સવારે 11:12 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. તેનું કેન્દ્ર ગાંધીનગરના રાપરથી 16 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. જેની એક મિનિટ પહેલા, 2.8ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર-ઉત્તર-પૂર્વમાં હતું.