Abtak Media Google News

એક સમયનાં કુબેરપતિ ‘ભુખડીબારસ’ બની ગયા!

ભારતના ધનકુબેર પરિવારના અનિલ અંબાણીનો દાવો, પોતે સાદાઈથી જીવે છે અને વૈભવી ઠાઠથી દૂર રહે છે

સમય-સમય બલવાન હૈ… નહીં પુરૂષ બલવાન… ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં ટોચના કુબેરપતિઓમાં જેની ગણના થાય છે તેવા અંબાણી પરિવારના અનિલ અંબાણીની આર્થિક સ્થિતિ કથડીને ખાડે ગઈ હોય તેમ એક સમયના કુબેરપતિ અનિલ અંબાણી આર્થિક રીતે ભારે ભીંસમાં આવી ગયા હોય તેમ લંડનની અદાલતમાં તેમણે કરેલી જાહેરાત અને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તંગીના આ માહોલમાં પોતે દાગીના વેંચીને વકીલોની ફી ચૂકવી રહ્યો છે.

ઈંગ્લેન્ડની કોર્ટમાં ચીન બેંક મુદ્દે ચાલી રહેલા કેસમાં અનિલ અંબાણીએ વૈશ્ર્વિક ધોરણે પોતાની મિલકતોની સ્થિતિ જાહેર કરી હતી. બિઝનેશ ટાઈકુન અનિલ અંબાણીએ ઈંગ્લેન્ડની કોર્ટને શુક્રવારે જણાવ્યું હતું કે તે સાદગીપૂર્ણ જીવન જીવે છે અને ઘર વપરાશ માટે એક જ મોટરનો ઉપયોગ કરે છે અને તેણે વકીલોની ફી ચૂકવવા માટે દાગીના વેંચીને ફી ભરી હતી. તેણે જણાવ્યું હતું કે, જાન્યુઆરી થી જૂન ૨૦૨૦ દરમિયાન તેણે દાગીના વેંચીને ૯.૯ કરોડ રૂપિયાની રકમ ઉભી કરી હતી. હવે તેની પાસે કંઈ નથી.

અનિલ અંબાણીને જયારે પોતાની વૈભવી જીવનશૈલી અને મોટર વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે, આ બધી મીડિયામાં ચમકતી ટેબલ સ્ટોરીઓ છે. મેં ક્યારેય રોલ્સ રોય લીધી જ નથી. હું અત્યારે એક જ કાર વાપરું છું. મે ૨૨ ૨૦૨૦ના દિવસે ઈંગ્લેન્ડ હાઈકોર્ટે અનિલ અંબાણીને રૂા.૫.૨૮૧ કરોડ રૂપિયા ૩ ચીની બેંકોને ૧૨ જૂન ૨૦૨૦ પહેલા ચૂકવી દેવા આદેશો કર્યા હતા. આ રકમ ન ચૂકવી શકાતા ફરીથી ૧૫ જૂને ચીનની બેંકોએ ઉઘરાણી કરી હતી. અનિલ અંબાણી ભારતમાં બેઠા બેઠા શુક્રવારે વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર થયા હતા. તેની ઉલટ તપાસ થઈ હતી. કોર્ટે ૫૦૦ કરોડ રૂપિયાની તેની માતા અને ૩૧૦ કરોડ તેના પુત્ર અનમોલની લોન અંગે સુનાવણી હાથ ધરી હતી. અનિલ અંબાણીએ જણાવ્યું હતું કેે, તેણે ૫ બીલીયન રૂપિયાની રિલાયન્સ ઈનોવેન્ચરને લોન આપી હતી જે, પાછી આવી નથી. તેણે એમ પણ જણાવ્યું હતું કે, ૧૨ મીલીયન રિલાયન્સ ઈનોવેશનના શેર અત્યારે નકામાં બની ગયા છે. તેમણે તેમની વિશ્ર્વમાં આવેલી મિકલતોની યાદી સુપ્રત કરી હતી.

અનિલ અંબાણીએ જણાવ્યું કે પોતે સંપૂર્ણપણે સાદગીભર્યું જીવન જીવે છે. અંબાણી પોતે એક ધનવાન વ્યક્તિ છે તે એક-એક કલાકૃતિ ૧.૧૦ લાખ ડોલરના મુલ્યની ખરીદે છે ત્યારે પ્રશ્ર્ન ઉઠ્યો હતો કે, શું આ કલેકશન ટીના અને અનિલ અંબાણીનું છે. તેની સામે અનિલ અંબાણીએ જવાબ આપ્યો હતો કે, આ કલેકશન પોતાની પત્નીનું છે. હું તેનો માત્ર પતિ છું તેથી તે મારી રજા લે છે. તેણે પ્રોફેશન ફી રિલાયન્સ ઈન્ફાસ્ટ્રકચરના માધ્યમથી મેળવી હતી. મારો ખર્ચ અત્યારે ખુબજ સીમીત છે. હું ભવ્ય જીવન ધોરણ વચ્ચે નથી જીવતો, અને મારી પાસે કોઈ બીજી આવક નથી, મેં મારા દાગીના વેંચીને કોર્ટની ફી ભરી હતી હવે વધારાનો ખર્ચ હું ઉપાડી શકુ તેમ નથી. જ્યારે વકીલે વિરોધ નોંધાવ્યો ત્યારે અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે તે કેટલાક વ્યવહારો કરી શકે તેમ નથી.

તેમણે ક્રેડીટ કાર્ડથી લંડન, કેલીફોર્નિયા, બેઈઝીંગમાં કરવામાં આવેલી ખરીદીમાં પણ તે પોતાની માતાએ ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું. અનિલ અંબાણીએ ૬૦.૬ લાખના ખર્ચની દક્ષિણ મુંબઈમાં આવેલા નિવાસ સ્થાને વીજળી ખર્ચ તરીકેની જાહેરાત કરી હતી. પોતે નિવેદનમાં જણાવ્યું હતું કે, તેનું જીવન સાદુ છે, સાદગી તેને પસંદ છે અને અત્યારે તે મુશ્કેલીમાં છે અને સાદુ જીવન જીવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.