Abtak Media Google News

રાજયભરમાં ઉયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષ્ાીઓને ઇજા થવાના અને  મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષ્ાીઓને બચાવવા માટે રાજય સરકાર  દ્રારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી કરુણા અભિયાન શરૂ કરાયું હતું. આ અભિયાન હેઠળ  રાજયભરનાં તમામ જિલ્લા કલેકટરની તેમજ મ્યુનિસીપલ કમિશ્નરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ,  શિક્ષ્ાણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ  પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલ વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષ્ાીઓને  બચાવવાની કામગીરી સુઆયોજીત ઢબે હાથ ધરાઈ હતી.

વિવિધ કંટ્રોલરૂમમાં 150 કાર્યકર્તાઓએ ખડેપગે આપી સેવા

આખો દિવસ જુદા જુદા વિસ્તારોમાંથી પક્ષ્ાીઓ ઇજાગ્રસ્ત થયાના ફોન એનીમલ હેલ્પલાઈનમાં સતત રણક્તા રહયાં હતાં. જો કે  કરૂણા અભીયાનને લઈને તેમજ તંત્રની કડક કાર્યવાહીને લઈને અને લોકોની સંવેદના વધુ જાગૃત થઈ હોવાના કારણે ગત વર્ષ કરતા  ઓછા કેસ આ વખતે સારવારમાં આવ્યા હતાં. સાજા થઈ ગયેલા પક્ષીઓને ફરીથી મુક્ત ગગનમાં વિહાર માટે છોડી મુકાયા હતાં. તા.14 અને તા. 15 એમ બે દિવસમાં 520 જેટલા કબૂતર, ર પેલીગન, ર બગલા, 1 કોયલ, 1 સમડી(ચક્રો), 4 ચામાડીયા એમ  સમગ્ર પણે 600 થી વધુ અબોલ જીવો પતંગની દોરીથી ઘસાઈને સારવારાર્થે લવાયા હતાં. ડ્રોનથી પણ ઉંચાઈ પર ફસાયેલા

પક્ષીઓને  લોકેટ કરી તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતાં. તથા એનીમલ હેલ્પલાઈન દ્રારા ઘર પર, ટેરેસ પર, ઓફિસ પાસે,  વિજયળીના થાંભલા પર, જાહેર સ્થળોએ લટક્તા દોરા પક્ષ્ાીઓ માટે ફાંસીના ગાળીયા સમુ કામ કરે છે જે હટાવી લેવા  સંવેદનાસભર અપીલ કરી છે.

રાષ્ટ્રસંત નમ્ર મુનિ મહારાજ સાહેબે ઉપસ્થિત રહી કેમ્પને આશીર્વાદ પાઠવ્યા હતા અને શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ  હેલ્પલાઈન રાજકોટની જીવદયા પ્રવૃતિને બિરદાવી હતી અને સંસ્થા વધુને વધુ આવા જીવદયા કાર્યો કરતી તેવી અંતરની શુભેચ્છા  વ્યક્ત કરી હતી.

Deb43B9F Ccca 4Bfc A919 69

આ પ્રસંગે ગુજરાત સરકારનાં પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ ઉપસ્થિત રહી કેમ્પનાં વિવિધ વિભાગોમાં જાત નિરીક્ષણ કરી ડોકટરો તથા કાર્યર્ક્તાઓ તથા સંસ્થાની પ્રવૃતિની ખૂબ જ બારીકાઈથી નોંધ લઈ પ્રવૃતિને બિરદાવી હતી.

આ કંટ્રોલરૂમની મુલાકાતે રાજકોટના જીવદયા પ્રેમી પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ  કથીરિયા, ધારાસભ્ય-ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય  રમેશભાઈ ટીલાળા, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર  ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, જૈન સોશ્યિલ ગુ્રપ રાજકોટ-યુવા તથા સાથી ટીમ, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળની  ટીમ પણ ખાસ ઉપસ્થિત રહયાં હતાં.

મકર સંક્રાંતીએ પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષ્ાીઓની સારવાર માટે કરુણા અભિયાન-ર0ર3 અંતર્ગત કંટ્રોલરૂમનો રાજકોટનાં જીવદયા પ્રેમી કલેકટર અરૂણ મહેશ બાબુ તથા ડી.ડી.ઓ. દેવ ચૌધરીનાં માર્ગદર્શનમાં યોજાયો હતો. જેમાં ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય, નેશનલ એડવાઈઝરી કમિટીના મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ  ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર,  સાથી ટીમ ખાસ ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો.

કરૂણા અભિયાનમાં જુનાગઢ વેટરનરી કોલેજ તથા આણંદ વેટરનરી કોલેજના નિષ્ણાંત તબીબો, શ્રી કરૂણા ફાઉન્ડેશન  ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન રાજકોટનાં ડો.નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. રવી માલવીયા, ડો. અરવિંદ ગડારા, ડો. વિવેવ  કલોલા, ડો. અર્જુન ધગલ, ડો. કિશન કથીરીયા , ડો. વિવેક ડોડીયા, ડો. માર્મિક ઢેબર, ડો. ભાવિક પંપાણીયા, ડો. રાજીવ સિન્હા, ડો.  ગીફટી મહીડા,    ટીમનો  સમગ્ર વ્યવસ્થા અંગે આણંદ વેટરનરી કોલેજનો વિશેષ સહયોગ મળી રહયો છે. ડી.સી.એફ. ડો. તુષાર પટેલ જિલ્લા પશુપાલન  વિભાગનાં ડો. ખાનપરા, ડો. અભાણી, ડો. રાકેશ હીરપરા, ડો. ભાવેશ જાકાસણીયા સહિત પ0 ડોકટરો, 30 પેરામેડીકલ તબીબી  સ્ટાફ સહિત, 1પ0 કાર્યર્ક્તાઓ ખડેપગે સેવા આપશે. સમસ્ત  મહાજનના ગીરીશભાઈ શાહ, કુમારપાળભાઈ શાહ તથા

તેમની ટીમ વિશેષ ઉપસ્થિતિ રહયાં હતાં. અર્હમ યુવા સેવા  ગુ્રપ, જૈન સોશ્યિલ ગુ્રપ રાજકોટ-યુવા તથા સાથી ટીમ નો  સુંદર સહયોગ઼ આ અભિયાન અંતર્ગત ઘવાયેલા પશુની સર્જરી  પણ કરાઈ હતી. જરૂર પડયે દાખલ કરવાની પણ વ્યવસ્થા  કરાઈ હતી. એક્સ-રે, સોનોગ્રાફી સહિતની સુવિધાઓ પણ  ઉપલબ્ધ કરાવાઈ હતી. ડ્રોનથી પણ ઉંચાઈ પર ફસાયેલા  પક્ષીઓને લોકેટ કરી તેમને રેસ્ક્યુ કરવામાં કરવામાં આવ્યા હતાં.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.