- ભુ-માફીયાઓ દ્વારા થતી ખનિજ ચોરી રોકવા સ્થાનિકોની માંગ
- નાયબ કલેકટર, ખાણ ખનીજ વિભાગ, મામલતદાર તેમજ SDPIને લેખિત ફરિયાદ
- ગૌચર, સિમતળ, પડતર જમીનો પર ભૂ-માફીયાઓનો કબ્જો હોવાના આક્ષેપો
અંજાર તાલુકાની સીમમાં ભૂ-માફિયાઓ દ્વારા ગૌચર અને સિમતડની જમીનમાંથી ખુલ્લે આમ થતી ખનિજ ચોરી બંદ કરવા, નાયબ કલેકટર અંજાર, અને ખાણ ખનીજ વિભાગ પૂર્વ કચ્છ તેમજ મામલતદારશ્રી અંજારને SDPI ક્ચ્છ જિલ્લાના પ્રમુખે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.
અંજાર તાલુકાની સીમમાં વહિવટી તંત્રની મીઠી નજર હેઠળ ખુલ્લે આમ ચાલતી ખનિજ ચોરી અંજાર તાલુકાના મોટી નાગલપુર, ગામની સીમમાં ભૂ-માફિયાઓ દ્વારા ખુલ્લે આમ ખનિજ ચોરી રોકવા સ્થાનિકોની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન અંજાર તાલુકાના મોટી નાગલપુર ગામની ગૌચર, સિમતળ, પડતળ, જમીનો પર મોટા ભાગે ભૂ-માફીયાઓ કબ્જો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે ભૂ-માફિયાઓ દ્વારા ખુલ્લે આમ ખનિજ ચોરી કરવા આવે છે અને રોલટી વગર રોડ પર ખનિજ ભરેલી ખુલ્લે આમ ચાલતી ઓવરલોડીગ ટ્રકો સામે પોલીસ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ, સાથે RTO, દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી હોય તેવું દેખાતું નથી ત્યારે ખનિજ ચોરી કરતા તત્વોને ખુલ્લું મેદાન મળી ગયું છે. જેમાં ક્યાંકને ક્યાંક ખનિજ વિભાગની મમતા ભરી નજર હોય તેવું પ્રતીત થાય છે.
સાહેબ અમારી નમ્ર અરજ છે કે અંજાર તાલુકાના મોટી નાગલપુર ગામની સીમમાં ખનિજ ચોરીને રોકવા ભુ-માફીયાઓ સામે કોઈની સરમ રાખ્યા વગર તાત્કાલિક ધોરણે ધાક બેસાડતી કાનૂની કાયૅવાહી કરવામાં આવે અને તમામ મિશનરી જપ્ત કરી કડક કાર્યવાહી કરવામાં SDPI સોશીયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના જિલ્લા જિલ્લા પ્રમુખ રોશનઅલી સાંધાણી દ્વારા વિવિધ વિભાગોને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.
અહેવાલ : ભારતી માખીજાણી