Abtak Media Google News

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં બીએએમએસનો અભ્યાસ કરતા મૂળ કચ્છના અંજાર તાલુકાના એક વિદ્યાર્થીએ યુનિ.ના પાંચમા માળેથી અકળ કારણથી પ્રેરાઈ મોતની છલાંગ લગાવી છે.

જામનગરની જી. જી. હોસ્પિટલથી લાલબંગલા તરફ જવાના માર્ગ પર આવેલી આયુર્વેદ યુનિવર્સિટીના પાંચમા માળેથી એક યુવાને મોતનો ઠેકડો માર્યો હતો. અંદાજે ૭૦ ફૂટથી વધુ ઉંચાઈ પરથી ત્રાટકેલા આ યુવાનનું નીચે પડતાં જ મૃત્યુ નિપજ્યું હતું, અચાનક જ ધબાકા જેવો અવાજ આવતા દોડી આવેલા લોકોએ તે યુવાનને સારવારમાં ખસેડવા માટે તજવીજ કરી ૧૦૮ને કોલ કરતાં એમ્બ્યુલન્સ દોડી આવી હતી.

Yuvak No Aapghat 10

તેના સ્ટાફે આ યુવાનને ચકાસી મૃત્યુ પામેલા જાહેર કરતાં પોલીસ કાફલો પણ ઘસી આવ્યો હતો. પોલીસે આ યુવાનના કપડાની તલાશી લેતાં કચ્છના અંજાર તાલુકાના ભીમાસર ગામના વતની અને હાલમાં આયુર્વેદ યુનિ.માં બી.એ.એમ.એસ.માં અભ્યાસ કરતા વિજયભાઈ અજમલભાઈ ઠાકોર નામના આ યુવાન પોતાની જાતે અગાસી પરથી કૂદકો મારી આત્મહત્યા તરફ દોરાયા હોવાની વિગત પ્રાથમિક તબક્કે ખૂલી છે. પોલીસે આ યુવાનના આપઘાત પાછળનું  કારણ જાણવા તપાસ શરૃ કરી છે. અને મૃત્તદેહનો કબજો સંભાળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.