Abtak Media Google News

વિક્રમસિંહ જાડેજા

ચોટીલામાં ચોરીના દિવસેને દિવસે ચોરીના બનાવો વધતાં જાય છે. ત્યારે કાલે રાત્રે વધુ એક ચોરીનો બનાવ બન્યો છે. રાત્રિના સમયે ઘરમાં સૂતેલા મકાન માલિકના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. ચોટીલામાં છેલ્લા 10 દિવસમાં આ બીજો ચોરીનો બનાવ છે.

ચોટીલાના ખાંડિ પ્લોટમાં આવેલ પૂજા રાહુલ નામની મોબાઈલની દુકાન ધરાવતા પારસ.એમ.શાહ કે જેઓ ચામુંડા માતાજી મંદિર તરફ જતા ગભુ મહારાજના ઘરની બાજુમાં આવેલ મકાને પોતાના પરિવાર સાથે રાત્રીના સમયે સુતા હતા.

બાજુના રૂમમાં તિજોરીમાં હતી. જેમાં આશરે 1 લાખ રોકડ રકમ સહિત સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરીને તસ્કરો નાસી છૂટ્યા હતા. આ ઘટનાની પોલીસને જાણ થતા કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.