Abtak Media Google News

રાજયમાં દિવસે ને દિવસે આત્મહત્યાના કિસ્સામાં વધારો થતો જાય છે ગઈ કાલે ધોરાજીમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યું હતું ત્યારે આજે ફરી એક વખત પાલિતાણામાં હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરીને જીવનમાં પૂર્ણવિરામ મૂકી દીધું હતું. ઘટનાને લઈને પાલીતાણા રૂરલ પોલીસ આવી સીસીટીવી ફૂટેજ તેમજ સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના પાલીતાણા તાલુકાના વાળુકડ ગામની છે જ્યાં લોક વિદ્યાલયની હોસ્ટેલમાં વિદ્યાર્થિની કૃપાલી ડોળાસિયાએ આપઘાત કરતા વિદ્યાલયમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ ૨૧ વર્ષની વિધાર્થીનીએ શા કારણે જીવન ટુંકાવ્યું છે ??

ટી.વાઈ બીકોમમાં અભ્યાસ કરતી કૃપાલીએ હોટેલના ટાંકામાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું હતું. વિદ્યાર્થિની પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી ત્યારે આ ઘટનાને પગલે પાલીતાણા રૂલર પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

ધોરાજીમાં ધોરણ -૧૧ સાયન્સની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

ધોરાજીમાં આવેલી સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ -૧૧ સાયન્સની વિદ્યાર્થીનીએ સ્યુસાઇડ નોટમાં પિતા પર ફિટકાર વરસાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હૈયું કંપાવનારી સ્યુસાઇડ નોટમાં પિતા પર “તમે ક્યારેય મને તમારી પુત્રી માની જ નથી, આઇ હેટ યુ પાપા, મારા એક એક આંસુનો બદલો લઈશ” ગળાફાંસો ખાઇ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.