Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

શું તમને પણ iPhone 15 ફ્રીમાં મેળવવાનો મેસેજ મળી રહ્યો છે?

સુરતમાં 6 કરોડથી વધુના અફઘાની ચરસ સાથે એક  ઈસમ ઝડપાયો

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»શાળા-કોલેજોમાં ફાયર સેફટીના પુરતા સાધનો હશે તો જ એનઓસી માટેની અરજી સ્વીકારાશે
Gujarat News

શાળા-કોલેજોમાં ફાયર સેફટીના પુરતા સાધનો હશે તો જ એનઓસી માટેની અરજી સ્વીકારાશે

By Abtak Media02/11/20202 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

સૌરાષ્ટ્ર યુનિ.એ પણ ફાયર એન.ઓ.સી.ને લઈ પરિપત્ર બહાર પાડયો: આવતી કાલ સુધીમાં તમામ કોલેજોએ એન.ઓ.સી. મેળવી લેવા શિક્ષણ વિભાગનો આદેશ

એનઓસી માટે પુછપરછ શરૂ પરંતુ એક પણ અરજી ઈન્વર્ડ ન કરાઈ

શાળા-કોલેજ અને ટ્યુશન ક્લાસીસમાં અપુરતી ફાયર સેફટીની સુવિધાના કારણે આગ લાગવાના બનાવો બને છે. જેના કારણે કેટલાક પરિવારોના વ્હાલસોયા બાળકો ચિરનિંદ્રામાં પોઢી જાય છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શાળા-કોલેજ અને ટ્યુશન કલાસીસમાં ફરજિયાત ફાયર સેફટીનો કાયદો અમલમાં મુક્યો છે. હાલ કોરોનાના કારણે શાળાઓ બંધ છે. છતાં ફાયર સેફટીનું એનઓસી મેળવવા માટે કોર્પોરેશનમાં પુછપરછ શરૂ થઈ ગઈ છે. જે શાળા-કોલેજ કે ટ્યુશન કલોસીસ પાસે તમામ સાધનો ઉપલબ્ધ હશે તેની જ અરજીઓ સ્વીકારવામાં આવશે. કેટલીક અરજીઓ આવી છે પરંતુ કેટલાક સાધનો ઓછા હોવાથી આ અરજી ઈન્વર્ડ કરવામાં આવી નથી.

સુરતમાં ગત વર્ષે ટ્યુશન કલાસીસમાં આગની ઘટનામાં કેટલાક માસુમ બાળકોના મોત નિપજયા હતા. તાજેતરમાં પણ શાળા-કોલેજોમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. જેના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા એવો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે કે, શાળા કોલેજમાં હવે ફરજિયાત ફાયર સેફટીના સાધનો હોવા જોઈએ. આ માટે સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી ફાયર સેફટીનું એનઓસી મેળવવું પડશે. રાજકોટમાં કેટલીક શાળા-કોલેજો અને ટ્યુશન કલાસીસ માટે ફાયર સેફટીના એનઓસી માટે અરજી કરવામાં આવી છે અને પુછપરછ પણ શરૂ કરવામાં આવી છે. દરમિયાન કોર્પોરેશન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે શાળા-કોલેજ કે ટ્યુશન કલાસીસ પાસે  ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ હશે તેને જ એનઓસી આપવાની અરજી સ્વીકારવામાં આવશે. ઓછા સાધનો ધરાવતી એકપણ શૈક્ષણિક સંસ્થાને ફાયરનું એનઓસી આપવામાં આવશે નહીં. હાલ કેટલીક અરજીઓ આવી છે ચોક્કસ પરંતુ તેને ઈનવર્ડ કરવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટમાં મહાપાલિકાની બેદરકારીના કારણે ફાયર બ્રિગેડના એનઓસીના નિયમ માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. હાઈરાઈઝ બિલ્ડીંગમાં પણ અગ્ની શામક સાધન ઉપલબ્ધ નથી અને જ્યાં છે ત્યાં ચાલુ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવતી નથી. એક પણ શાળા-કોલેજ કે કલાસીસ પાસે પુરતા ફાયર સાધનો ઉપલબ્ધ નથી.

આટલું જ નહીં તાજેતરમાં દિવાળીના તહેવારોમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા વેપારી પાસે જ ફાયર બ્રિગેડ સાધનોની અરજી કરવામાં આવી છે જે સાબીત કરે છે કે ફાયરબ્રિગેડમાં કેટલું લોલંમલોલ ચાલે છે તે સાબીત કરે છે. આગ લાગવાની મોટી ઘટના બને અને સરકાર નિયમ ઘડે ત્યારે તેની કાગળ પર ચૂસ્ત અમલવારી કરવા માટે ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનો બે ચાર દિવસ ચેકિંગના નાટક કરતા હોય છે ત્યારબાદ પરિસ્થિતિ ફરી જૈસે થે થઈ જાય છે. પરિણામે શહેરના તમામ હાઈરાઈઝ બિલ્ડીંગ, હોટલ, મોલ, શાળા-કોલેજ કે ટ્યુશન કલાસીસમાં જો આગ લાગવાની ઘટના બને તો કેટલા લોકો તેમાં હોમાય તેવું કહેવું મુશ્કેલ બની જાય છે.

ALSO READ  ‘દિકરાનું ઘર’ વૃધ્ધાશ્રમ આયોજીત વ્હાલુડીના વિવાહમાં પચ્ચીસ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે

Gujarat news rajkot
Share. Facebook Twitter WhatsApp
Previous Article‘કલાગુરુ’ના સુપુત્રી કર્તવી ભટ્ટે ‘ડોક્ટર ઓફ ડાન્સ’ની પદવી મેળવી રાજકોટનું ગૌરવ વધાર્યું
Next Article કે.કે.વી ચોક, નાના મવા સર્કલ, રામાપીર ચોકડી સહિત ચાર બ્રિજ માટે ટૂંકમાં ટેન્ડર પ્રસિધ્ધ
Abtak Media
  • Website

Related Posts

સુરતમાં 6 કરોડથી વધુના અફઘાની ચરસ સાથે એક  ઈસમ ઝડપાયો

26/09/2023

ક્રિકેટ રસીકો આનંદો: કાલે રાજકોટમાં વરસાદની શક્યતા નહિવત

26/09/2023

જામનગરમાં 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેક્ટિસ કરતા મોત

26/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

શું તમને પણ iPhone 15 ફ્રીમાં મેળવવાનો મેસેજ મળી રહ્યો છે?

26/09/2023

સુરતમાં 6 કરોડથી વધુના અફઘાની ચરસ સાથે એક  ઈસમ ઝડપાયો

26/09/2023

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

26/09/2023

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

26/09/2023

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

26/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

શું તમને પણ iPhone 15 ફ્રીમાં મેળવવાનો મેસેજ મળી રહ્યો છે?

સુરતમાં 6 કરોડથી વધુના અફઘાની ચરસ સાથે એક  ઈસમ ઝડપાયો

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.