Abtak Media Google News

ભક્તિનગર પોલીસ મથકમાં હાલમાં જ એસીબીમાંથી બદલી થઈ આવેલા એમ.એમ. સરવૈયાને  પોસ્ટીંગ અપાયું

રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં  વધારે એક પોસ્ટ ઉભી  કરાયા બાદ પી.આઈ. જે.વી. ધોળાની બદલી થતા   પીઆઈની   ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એલ.એલ. ચાવડાને ક્રાઈમ બ્રાંચમાં મુકાયા છે. તેમના સ્થાને ભક્તિનગર પોલીસ મથકની જવાબદારી હાલમાં જ એસીબીમાંથી બદલી થઈ આવેલા એમ.એમ. સરવૈયાને જવાબદારી  સોંપાઈ છે.ઉલ્લેખનીય છે કે,  વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ત્રણ વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવતા પીઆઈની બદલી કરવામાં આવી છે .જેમાં ક્રાઈમ બ્રાંચના જે.વી. ધોળાને કચ્છ બદલી કરવામાં આવી છે.

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા બે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં  ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એલ.એલ.ચાવડાને ક્રાઈમ બ્રાન્ચના ધોળાની ખાલી પડેલી જગ્યા પર  રાજકોટ શહેરની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ અને એ ડિવિઝન પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે અને પ્ર.નગર પોલીસ મથકમાં પીઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ ભક્તિનગર પોલીસ મથકમાં પીઆઇ તરીકે  ફરજ બજાવતા એલ.એલ.ચાવડાને ક્રાઈમ બ્રાન્ચ ની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે રાજકોટ એસીબી માં ફરજ બજાવી ને રાજકોટ શહેરમાં જ તાજેતરમાં બદલી પામીને આવેલા એમ.એમ.સરવૈયાને ભક્તિનગર પોલીસ મથક ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.