Abtak Media Google News

સેલ્સમેનની હત્યા કરનારા 3 આતંકીઓને દબોચી લેવાયા

જમ્મુ-કાશ્મીરની સ્વાયત્તા નાબૂદ કરતી કલમ 370 હટાવવા ના ક્રાંતિકારી રાજદ્વારી પગલાએ અલગતાવાદીઓ ના મનસૂબા ઉપર પાણી ફેરવી દીધું છે, હવે ભારત વિરોધી તત્વો પાસે હાથ ઘસવા સિવાય કાંઈ બચ્યું નથી… તેવા સંજોગોમાંહવે લોકોમાં ભય ફેલાવવા માટે હિંસા દવારા આંતકીઓને સકંજામાં લેવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે ગઈકાલે દાવો કર્યો હતો કે નવમી નવેમ્બરે સેલ્સ મેન ની હત્યા નો બનાવ બન્યો હતો તેમાં સંડોવાયેલા ત્રણેય આંતકીઓ એજાજ અહેમદ લોન નાસીરઅહમદશાહ અને સોકત અહેમદ દારને  તેના દક્ષિણ કાશ્મીરના પુલવામાં ના રેલ હાર વિસ્તારમાંથી જ દબોચી લીધા હતા.

આ ત્રણેય યુવાનો ની સંડોવણી  સુકામેવાની દુકાનમાં કામ કરતા સેલ્સમેન ઇબ્રાહિમ ની હત્યા કરવામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું આ ત્રણેય આરોપીઓ સરહદ પારના આંતકી સંગઠનો સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવ્યું છે તેમની પાસેથી સાત રાઉન્ડ ફાયર ભરેલી લોડેડ પિસ્તોલ અને હુમલામાં વપરાયેલી અલ્ટો કાર કબજે લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.